બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Vishnu
Last Updated: 06:26 PM, 13 June 2022
ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે પણ જામનગરના જામ જોધપુર માર્કેટયાર્ડના સત્તાધીશોએ આ આગાહીને અવગણી છે. જામ જોધપુર માર્કેટ પડેલો હજારો ટન મગફળીનો માલ પલડી ગયો છે. હવામાન ખાતાએ આગાઉથી ચેતવ્યા હોવા છતાં પણ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં માલ રાખવામાં આવતા સત્તાધીશોના વહીવટ પર સવાલોનો વરસાદ થઈ રહ્યો છે.
કોની બેદરકારીએ મગફળી પલડી?
સમગ્ર બાબતે VTV ગુજરાતીએ જામ જોધપુર માર્કેટયાર્ડના સત્તાધીશોના કાન મરોડયા છે. ચેરમેન બ્રિજરાજ સિંહ જાડેજાને સમગ્ર લાપરવાહી બાબતે સવાલ કરાતા તેઓએ પોતાના વહીવટનો લૂલો બચાવ કર્યો છે. તેમજ ખેડૂતોને કોઈ જ નુકસાન ન ગયું હોવા તેવો દાવો પણ કર્યો છે. ચેરમેને વીટીવી સમક્ષ કહ્યું કે અમે ખેડૂતોને વિનંતી પણ કરી રહ્યા છીએ કે માલ જેમ મંગાવવામાં આવે તે હિસાબે જ આવે, પણ જરૂરિયાત કરતાં વધારે ખેડૂતો માલ લઈને આવે છે તેથી ગોડાઉન પણ ભરાઈ ગયા છે. ખેડૂતો માલ લઈને આવે તો પાછા મોકલતા નથી એટલે વરસાદી વાતાવરણ હોવા છતાં ખેડૂતો પાસેથી માર્કેટયાર્ડ માલ ખરીદ્યો હતો જે ગોડાઉનમાં ગોઠવવાની તૈયારી પણ કરી હતી પણ અચાનક જ વરસાદ ખૂબનો આવી પડતાં માલ પલડી ગયો, એમાં કોઈ શું કરે? નુકસાન ખેડૂતોને પડ્યું નથી પણ વેપારીએ હરાજી કરી માલ લઈ લીધો છે.
VTV ગુજરાતીના સળગતા સવાલ
15થી 20 જૂન સુધીમાં સારા વરસાદનું હવામાન વિભાગનું અનુમાન
નૈઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું છે. ગુજરાતમાં તારીખ 15થી 20 જૂન સુધીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 13થી 14 જૂન સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. તો તારીખ 16થી 18 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના સેવવામાં આવી છે. તારીખ 15 જૂન બાદ ગુજરાતમાં છુટો-છવાયો વરસાદ ચાલું રહેશે. ચાર દિવસ સુધીમાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચવાની સંભાવના છે.
આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની રમઝટ..
ગઈકાલે રવિવારે 70 તાલુકોમાં થયો હતો વરસાદ
રવિવારે સવારના છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં મહીસાગરના સંતરામપુરમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ગઇકાલે વલસાડના ઉમરગામમાં 22 મિ.મી., કપરાડામાં 31 મિ.મી., ધરમપુરમાં 25 મિ.મી તો વડોદરાના સંતરામપુરમાં 81 મિ.મી એટલે કે 3 ઇંચ વરસાદ, કડાણામાં 50 મિ.મી અને ઝાલોદમાં 30 મિ.મી. વરસાદ પડ્યો હતો. આ સિવાય રાજ્યના 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh