બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / સુરત / Kumar Kanani expressed displeasure over Varachha ticket issue
Dinesh
Last Updated: 02:47 PM, 27 October 2022
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે ત્યારે તમામ પક્ષોએ ચૂંટણી જીતવા પ્રચારથી લઈ બેઠકોનો જોર શરૂ કરી દીધુ છે ત્યારે ભાજપે ચૂંટણીલક્ષી રાજનીતિ માટે ગઈ કાલે નિરીક્ષકોની યાદી જાહેર કરી છે અને આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આજથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની વિવિધ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે સુરતની 12 બેઠકોના ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે વરાછા બેઠકની ટિકિટ મુદ્દે કુમાર કાનાણીએ નારજગી વ્યક્ત કરી છે.
ટિકિટ મુદ્દે કુમાર કાનાણીએ નારાજગી વ્યક્ત કરી
વરાછામાં હીરા ઉદ્યોગપતિને ટીકીટ મુદ્દે કુમાર કાનાણીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, શા માટે કોઈ ઉદ્યોગપતિ ને ટીકીટ આપવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, હું મારી નારાજગી હાઇકમાન્ડ સમક્ષ પણ રજૂ કરીશ. કાનાણીએ સવાલ કર્યો હતો કે, ઉદ્યોગકારોના નેતાને શેનું પ્રતિનિધિત્વ? તેમણે કહ્યું હતું કે, ભાજપના કાર્યકરને ટીકીટ આપે તેવી રજૂઆત કરીશ. તેમણે ઉમેર્યું કે, જેને ભાજપ સાથે લેવાદેવા નથી તેને શા માટે ટીકીટ આપે છે. ઉલ્લેખનીય છે આજે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે
"વાત નિરીક્ષકો સામે રજૂ કરી છે"
કુમાર કાનાણી જણાવ્યું હતું કે, નિરીક્ષકો સામે મે દાવેદારી નોંધાવી છે અને 10 વર્ષથી ભાજપના ધારાસભ્ય તરીકે વરાછા વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યુ છે તેમણે કહ્યું કે, મે મારી વાત નિરીક્ષકો સામે રજૂ કરી છે અને ભાજપનો કોઇ પણ કાર્યકર્તા માગી શકે છે ટિકિટ તેમણે જણાવ્યું કે, કાયકર્તા ટિકિટ માગે તેમાં કોઇ વિરોધ ન હોય શકે અને 12 મહિના સુધી ભાજપનો કાર્યકર્તા જમીન પર કામ કરે છે તેમણે કહ્યું કે, કોઇ પણ જવાબદારી કાર્યકર્તા કરતો હોય છે પણ ચૂંટણી આવે ત્યારે દાવેદારી માટે રાફડો ફાટે છે તેમણે જણાવ્યું કે, કાર્યકર્તા સિવાય કોઇ ટિકિટ માગે તો પાર્ટીએ વિચાર કરવો જોઇએ તેમણે જણાવ્યું હતું કે, સમાજનો આગેવાન કે ઉદ્યોગપતિ ટિકિટ માગે તો પાર્ટીએ વિચારવું જોઇએ.
સુરતમાં ભાજપની સેન્સ પ્રક્રિયા
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે ચૂંટણીલક્ષી રાજનીતિનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેમાં સુરતની 12 બેઠકો પર ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના રોડ પર ભાજપના કમલમ કાર્યલય પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં એકસાથે 2 વિધાનસભાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાવામાં આવી છે. ઉધના, વરાછા બેઠકના દાવેદારોને સેન્સ લેવામાં આવી રહ્યાં છે. બપોરે બાદ મજુરા, કરંજ બેઠકના દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાંજે 5:30 વાગ્યે ચોર્યાસી, કતારગામ બેઠકના દાવેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir