બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Keep these things in mind while using a pressure cooker

ઍલર્ટ! / પ્રેશર કુકરનો ઉપયોગ કરતાં સમયે ખાસ આ વસ્તુઓનું રાખો ધ્યાન, નાની ભૂલ બની શકે છે જીવલેણ

Megha

Last Updated: 04:25 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુકરનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે તમારી કોઈ એક નાની ભૂલ તમારા માટે જીવલેણ બની શકે છે.

  • દરેક વસ્તુઓ બાફવા અને બનાવવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ થાય
  • કુકરનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી
  • પ્રેશર કુકર વાપરતા સમયે ભૂલથી પણ ન કરો આ ભૂલ 

જો જીવવું હોય તો ખાવું જરૂરી છે. એ વાત આપણે બધા જાણીએ છીએ. દરરોજનું જમવાનું કા તો આપણે બનાવીએ છીએ અથવા તો કોઈ આપણે બનાવીને આપે છે. આપણે રસોડામાં રસોઈ બનાવવા માટે વિવિધ પ્રકારના વાસણોનો ઉપયોગ કરીએ છીએ પણ એમાંથી સૌથી વધુ કોઈ વસ્તુનો ઉપયોગ કરતાં હોઈએ તો એ છે પ્રેશર કુકર. 

લગભગ દરેક વસ્તુઓ બાફવા અને બનાવવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ થાય છે. પરંતુ પ્રેશર કુકરનો ઉપયોગ કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તમારી કોઈ એક નાની ભૂલ તમારા માટે જીવલેણ બની શકે છે. એટલા માટે જ કુકરનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચાલો જોઈએ.. 

પ્રેશર કુકર વાપરતા સમયે ભૂલથી પણ ન કરો આ ભૂલ 

પહેલી ભૂલ
પ્રેશર કુકરની સિટી પરથી અઆપણે અંદાજો લગાવીએ છીએ કે અંદર રહેલ વસ્તુઓ કેટલી બફાઈ છે. એવામાં કુકરમાં સિટીનો રોલ ઘણો મહત્વનો છે પણ ઘણી વખત એવું બને છે કે સિટીમાં ભૂલથી ક્યારેક ચોખાના દાણા, કઠોળ કઈં પણ કુકરની સીટીમાં ફસાઈ  જતું હોય છે અને લોકો તેના પર ધ્યાન નથી આપતા. એટલા માટે તમારે કૂકરની સીટીને બરાબર સાફ કરવી જોઈએ. જો કૂકરની સીટીને બરાબરસાફ નહીં હોય તો કૂકર ફૂટી શકે છે.

બીજી ભૂલ
ઘણી વખત લોકો જુના કૂકરનો પણ ઉપયોગ કરતા રહે છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કૂકર પણ બગડી શકે છે અને તેમાં તિરાડ પડી શકે છે.  જો તમારા કુકરમાં તિરાડ પડી ગઈ હોય તો તમારે કૂકરનો ઉપયોગ ન કરવો જોઈએ, આનાથી કુકર ફાટવાનું જોખમ અનેકગણું વધી જાય છે.એટલા માટે કુકરને તુરંત બદલી લેવું એ સારો વિકલ્પ છે. 

ત્રીજી ભૂલ 
તમે જ્યારે પણ પ્રેશર કુકરનો ઉપયોગ કરો ત્યારે તમારે ધ્યાન આપવું પડશે કે તમારે તેમાં યોગ્ય માત્રામાં નાખવું જોઈએ. દાળ, બટાકા કે ચોખા વગેરે નાખ્યા પછી જ પાણી ઉમેરો. જણાવી દઈએ કે કૂકરમાં પાણી ન હોય કે ઓછું હોય તો એવી સ્થિતિમાં સૂકા કૂકરમાં વધુ વરાળ ભરાય છે અને તે ફાટવાનું જોખમ વધી જાય છે.એટલા માટે કઈં પણ બાફવા મૂકો ત્યારે તેમાં પાણીનું પૂરતું ધ્યાન રાખો. 

ચોથી ભૂલ 
પ્રેશર કુકરના ઢાંકણમાં રબરની રિંગ ચઢાવેલ હોય છે જેનું કામ વરાળ અને પાણીને બહાર નીકળતા અટકાવવાનું હોય છે. આ રીંગને લઈને ક્યારેય બેજવાબદાર ન રહો. કુકરની સીટી સમય પર અને આખી વાગે એના માટે પણ આ રબર ઉપયોગી છે. એટલા માટે ખાસ કરીને કુકરનો સારો અને સલામતીવાળો ઉપયોગ કરવા માટે તેને દર ત્રણ મહિને એ રીંગને બદલવી જોઈએ નહીં તો કુકર ફાટી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ