બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Kedarnath Yatra: Registration of pilgrims stopped devotees have to wait till May 8

BIG BREAKING / ભક્તગણ કૃપયા ધ્યાન દે! 'કેદારનાથ યાત્રા'ના રજિસ્ટ્રેશન પર ફરીવાર પ્રતિબંધ, જાણો કઇ તારીખ સુધી ભક્તોએ રાહ જોવી પડશે

Megha

Last Updated: 02:04 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેદારઘાટીમાં આગામી 3- 4 દિવસ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. જેના કારણે ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ આ પગલું ઉઠાવ્યું છે.

  • કેદારનાથમાં 3 થી 4 દિવસ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના
  • કેદારનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓનું રજીસ્ટ્રેશન 8 મે સુધી રોકી દેવામાં આવ્યું 

કેદારનાથમાં આવનાર આગામી 3 થી 4 દિવસ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવનાને કારણે કેદારનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓનું રજીસ્ટ્રેશન 8 મે સુધી રોકી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે કેદારઘાટીમાં હવામાન બગડવાની સંભાવનાને જોતા સરકારે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉત્તરાખંડ પર્યટન વિભાગના રેકોર્ડ અનુસાર 10 મેના રોજ યાત્રા માટે 1.26 લાખ યાત્રાળુઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે 4 મે સુધી 1.23 લાખ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી. ગુરુવારે બપોરે ભૈરોન ખાતે ગ્લેશિયરનો ટુકડો તૂટી પડતા કેદારનાથ ધામ યાત્રાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે પગપાળા યાત્રા કરતા યાત્રિકો માટે તેને ખોલવામાં આવ્યું છે. 

બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન થયું
આજે સવારે સમાચાર સામે આવ્યા હતા કે બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન થયું છે. જેના કારણે વહીવટી તંત્રએ બદ્રીનાથ યાત્રાને રોકી દીધી છે. બદ્રીનાથ હાઈવે પર હેલંગમા ભૂસ્ખલન થતાં રસ્તો બંધ થઈ ગયો છે.  પોલીસે બેરિયર લગાવીને બદ્રીનાથ જઈ રહેલા તીર્થયાત્રીઓને ગૌચર, કર્ણપ્રયાગ અને લંગાસુમાં સાવચેતી રૂપે પોતપોતાના સ્થળોએ રોકાઈ જવા જણાવ્યું છે. બદ્રીનાથ હાઈવે પર થયેલા ભૂસ્ખલનનો વીડિયો પણ વાયરલ થયો છે. પહાડીના ભૂસ્ખલન કારણે હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.

રસ્તો ખુલ્યા બાદ મુસાફરોને જવા દેવાશેઃ સીઓ કર્ણપ્રયાગ અમિત કુમાર
હાઈવે બંધ થયા બાદ ઘણી જગ્યાએ યાત્રાને રોકી દેવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો રસ્તામાં હજારો મુસાફરો ફસાયેલા છે. આ મામલે વહીવટી તંત્રએ માહિતી આપી છે. સીઓ કર્ણપ્રયાગ અમિત કુમારે જણાવ્યું કે, "હેલાંગમાં બદ્રીનાથ માર્ગના ખુલ્યા બાદ મુસાફરોને જવા દેવામાં આવશે. ટ્રાફિક સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ છે, પોલીસે આ નિર્ણય લીધો છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ