બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut will enter politics: Know which seat is being eyed for the 2024 elections
Megha
Last Updated: 12:32 PM, 5 November 2023
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ચૂંટણી લડવાની વાત કરીને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનું બજાર ગરમ કર્યું છે. હવે એ વાત તો જાણીતી જ છે કે તે મૂળ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની છે. શુક્રવારે કંગનાએ ગુજરાતના દ્વારકામાં પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરવાનો સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે જો ભગવાન કૃષ્ણ રાજી થશે તો તે આગામી લોકસભા ચૂંટણી લડશે.
લોકસભાની આ સીટ પર છે કંગનાની નજર
કંગના રનૌત ઘણા સમયથી કેન્દ્રની ભાજપ સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહી છે. જેના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભાજપ કંગનાને મંડી સીટ પરથી લોકસભા ચૂંટણીમાં ઉતારી શકે છે. કંગનાના આ નિવેદનને મહારાષ્ટ્ર અને હિમાચલની મંડી લોકસભા સીટ સાથે જોડવામાં આવી રહ્યું છે.
જ્ઞાતિના સમીકરણ મુજબ કંગના લડી શકે છે ચૂંટણી
મંડીની વાત કરીએ તો હિમાચલમાં આ એકમાત્ર લોકસભા સીટ છે જે કોંગ્રેસ પાસે છે. જ્ઞાતિના સમીકરણ મુજબ આ બેઠક પર રાજપૂત અને અનુસૂચિત જાતિના મતદારો વધુ છે. કંગના રનૌત પણ રાજપૂત છે. એવામાં હવે એવી ચર્ચા ચાલી રહી છે કે કંગના ત્યાંથી તેના રાજકીય કરીઅરની શરુઆત કરી શકે છે.
સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવવો જોઈએ
ઉલ્લેખનીય છે કે કંગના શુક્રવારે અહીં ભગવાન કૃષ્ણના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરવા આવી હતી.દરમિયાન, તેમણે 600 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમાના અભિષેકને શક્ય બનાવવા માટે ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી.અભિનેત્રીએ કહ્યું કે ભાજપ સરકારના પ્રયાસોને કારણે આપણે ભારતીયોને 600 વર્ષના સંઘર્ષ બાદ આ દિવસ જોવા મળ્યો છે.અમે ખૂબ જ ધામધૂમથી મંદિરની સ્થાપના કરીશું. સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવવો જોઈએ.
દ્વારકા વિશે શું કહ્યું
કંગનાએ દ્વારકાનગરી વિશે કહ્યું કે, દ્વારકા વિશે હમંશા કહ્યું છે કે તે દિવ્ય નગરી છે. અહીં દરેક વસ્તુ અદભૂત છે. કણ કણમાં અહી કૃષ્ણ સમાયેલા છે અહી દ્વારકાધીશના દર્શન થતાં જ ધન્ય થઈ ગઈ છું હંમેશા કોશિશ કરૂ છું કે, દર્શન કરવા આવું પરંતુ કામના કારણે આવી શકતી નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir