બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / Jaysukh Patel, the main accused in the Morbi suspension bridge accident, will remain in jail

BIG NEWS / મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલમાં જ રહેશે, ન મળ્યાં જામીન, 3 આરોપી મુક્ત

Vishal Khamar

Last Updated: 07:11 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે આરોપી જયસુખ પટેલ સહિત 7 આરોપીઓ હજુ જેલમાં છે. આ કેસમાં પોલીસે 10 લોકોની ધરપકડ કરી હતી. કોર્ટે આજે 3 આરોપીઓનાં જામીન મંજૂર કર્યા હતા.

  • મોરબી ઝુલતા પુલ કેસમાં ત્રણ આરોપીઓનાં જામીન મંજૂર
  • આરોપી જયસુખ પટેલ સહિત સાત આરોપી જેલમાં
  • જયસુખ પટેલ જામીન માટે કરી રહ્યા છે ધમપછાડા

મોરબી ઝુલતા પુલ મામલે પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી 3 આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. ત્યારે કોર્ટે દસમાંથી ત્રણ આરોપીઓ મહાદેવ લાખાભાઈ સોલંકી,  દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ તેમજ મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણનાં જામીન મંજૂર કર્યા હતા. જ્યારે આરોપી જયસુખ પટેલ સહિતનાં 7 આરોપીઓ હજુ જેલમાં જ રહેશે. 

જયસુખ પટેલ જામીન માટે કરી રહ્યા છે ધમપછાડા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલ જેલની હવા ખાઈ રહ્યો છે. ઓરેવા કંપનીનો માલિક જયસુખ જેલની કોઠી નંબર-9માં બંધ છે. જયસુખ પટેલને ઘરના ગાદલા અને ટિફિનની મંજૂરી આપવામાં આવી છે. જયસુખ પટેલની સાથે 2 મેનેજર અને ક્લાર્ક પણ જેલમાં બંધ છે. જેલમાં બંધ જયસુખ પટેલ જામીન માટે સતત અરજીઓ કરી રહ્યો છે. 
ન્યૂરો સર્જનને બતાવવાની સિવિલના તબીબીની સલાહ
થોડા દિવસ અગાઉ જયસુખ પટેલની તબીયત બગડી હતી. તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી. જયસુખ પટેલની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોરબી સિવિલ હોસ્પિટલના તબીબે જયસુખ પટેલને ન્યૂરો સર્જનને બતાવવા માટેની સલાહ આપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ