બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / Jaya Khan suicide case verdict announced, actor Sooraj Pancholi acquitted
Priyakant
Last Updated: 12:38 PM, 28 April 2023
સૂરજ પંચોલી પર અભિનેત્રી જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. જોકે આજે 10 વર્ષ જૂના આ કેસમાં મુંબઈની કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભલાવ્યો છે. જિયા ખાન આત્મહત્યા કેસમાં એક્ટર સૂરજ પંચોલીને ઉશ્કેરવાના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જિયા ખાન જૂન 2013માં આત્મહત્યા કરીને મોતને ભેટી હતી. આ મામલામાં જીયા ખાનની માતા રાબિયા ખાને પોતાની પુત્રીના ન્યાય માટે લડત ચલાવી છે. જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જિયા ખાને આ પત્રમાં કહ્યું હતું કે તારી જિંદગી છોકરીઓ અને પાર્ટી હતી, પણ મારી જિંદગી ફક્ત તું જ હતો.
Actor Sooraj Pancholi acquitted of abetment charges in Jiah Khan suicide case pic.twitter.com/SUM97xLqeP
— ANI (@ANI) April 28, 2023
શું કહેવું છે જીયા ખાનની માતાનું ?
જિયા ખાનની માતાનો આરોપ છે કે, તેમની પુત્રીએ આત્મહત્યા નથી કરી પરંતુ તે હત્યા છે. રાબિયા ખાનની માંગણી પર હાઈકોર્ટ દ્વારા આ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. પરંતુ એક સમયે આ કેસમાં યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ની એન્ટ્રી થઈ હતી.
કેસમાં FBIની એન્ટ્રી કેવી રીતે થઈ?
હકીકતમાં વર્ષ 2014માં જિયા ખાનની માતાની અપીલ બાદ કોર્ટે આ કેસ CBIને સોંપ્યો હતો. બીજા વર્ષે 2015 CBI એ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી અને સૂરજ પંચોલીને જીયાની આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપી બનાવ્યો. આ પછી 2022માં જિયા ખાનની માતા ફરી એકવાર હાઇકોર્ટમાં પહોંચી અને કેસને યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBIને સોંપવાની અપીલ કરી. જિયાની માતાએ કહ્યું કે, તેમની પુત્રી અમેરિકન નાગરિક છે, તેથી એફબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ. જોકે તેમની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
અગાઉ કોર્ટે શું કહ્યું?
અરજી ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કેમ જિયા ખાનની માતા રાબિયા તેની પુત્રીની આત્મહત્યાને હત્યા ગણાવીને કેસને લટકાવી રહી છે. વાસ્તવમાં પોતાની અરજીમાં જિયાની માતા પોતાની પુત્રીના મોતને હત્યા ગણાવી રહી છે. તમને જણાવી દઈએ કે, જિયા ખાન તેના ટૂંકા કરિયરમાં આમિર ખાન સાથે ફિલ્મ ગજની, અક્ષય કુમાર સાથે ફિલ્મ હાઉસફુલ અને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ નિશબ્દમાં જોવા મળી હતી.
જીયા ખાને શું લખ્યું હતું સુસાઇડ નોટમાં ?
અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં આજે નિર્ણય આવશે. મુંબઈની કોર્ટ આ 10 વર્ષ જૂના કેસમાં સૂરજ પંચોલીને સજા અથવા નિર્દોષ છોડવાનો ચુકાદો સંભળાવી શકે છે. જિયા ખાને 3 જૂન 2013ના રોજ આત્મહત્યા કરી હતી. જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જિયા ખાને આ પત્રમાં કહ્યું હતું કે તારી જિંદગી છોકરીઓ અને પાર્ટી હતી, પણ મારી જિંદગી ફક્ત તું જ હતો.
જિયા ખાને આત્મહત્યા પહેલા લખેલા પત્રમાં તેના પર ત્રાસ, બળાત્કાર અને મારપીટનો આરોપ લગાવ્યો હતો. આ પત્ર વાંચીને તમે સમજી શકશો કે આત્મહત્યાના સમયે જિયા ખાન પ્રેમમાં સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. તે મુશ્કેલ સમયમાં પોતાની જાતને સંભાળવી તેના માટે મુશ્કેલ બની રહી હતી.'મને ખબર નથી કે તને આ કેવી રીતે કહું, પણ હું અત્યારે કહું છું કારણ કે મારી પાસે ગુમાવવા માટે કંઈ બચ્યું નથી. મેં પહેલેથી જ બધું ગુમાવ્યું છે. તમે આ વાંચી રહ્યા છો ત્યાં સુધીમાં હું કદાચ જતી રહીશ હોઇશ હું અંદરથી તૂટી ગઇ છું. તને ખબર નથી કે તેં મને એ સ્તરે પ્રભાવિત કરી છે કે, કે હું મારી જાતને પ્રેમમાં ખોઈ બેઠી છું.તેમ છતાં તું મને રોજ ત્રાસ આપે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh