બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / javed akhtar reaction on boycott pathaan trolling besharam rang controversy

વિવાદાસ્પદ / આપણે ત્યાં 4-5 ધર્મ છે, તો દરેકનું સેન્સર બોર્ડ....: જાવેદ અખ્તરના નિવેદનથી ફરી ફિલ્મ 'પઠાણ'નો વિવાદ વકર્યો, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 12:54 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાવેદ અખ્તરે પઠાન કોન્ટ્રોવર્સી પર બોલતા કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે દરેક ધર્મનું પોતાનું અલગ સેંસર બોર્ડ હોવું જોઈએ. તેમણે કહ્યું- મધ્યપ્રદેશમાં એક જ સેન્સર બોર્ડ છે. પછી કેન્દ્રનું અલગ સેન્સર બોર્ડ છે. તેમાં શું મુશ્કેલી છે?

  • પઠાન કોન્ટ્રોવર્સી પર બોલ્યા જાવેદ અખ્તર 
  • કહ્યું દરેક ધર્મની અલગ સેન્સર બોર્ડ હોવું જોઈએ 
  • નિવેદન બાદ ફરી વકર્યો પઠાનનો વિરોધ 

શાહરૂખ ખાનની મચઅવેટેડ ફિલ્મ પઠાનને લઈને જબરદસ્ત હાઈપ બનેલું છે. ફિલ્મના ગિત બેશર્મ રંગ પર ખૂબ વિવાદ થયો છે. ફિલ્મને બોયકોટ કરવાની માંગ ઉઠી છે. દીપિકા પાદુકોણની 'ભગવા બિકિની'ના કારણે ઉભા થયેલા વિવાદ બાદ સેન્સર બોર્ડે વચ્ચે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. હવે પઠાન વિવાદ પર ફેમસ ગીતકાર જાવેદ અખ્તરે રિએક્ટ કર્યું છે. 

પઠાન પર શું બોલ્યા જાવેદ અખ્તર? 
જાવેદ અખ્તરે પઠાન કોન્ટ્રોવર્સી પર વાત કરતા કટાક્ષ કર્યો છે. કહ્યું છે કે દરેક ધર્મનું પોતાનું અલગ સેન્સર બોર્ડ હોવું જોઈએ. બેશરમ રંગ ગીત રિલીઝ થયા બાદ મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ તેની રિલીઝ પર રાજ્યમાં રોક લગાવવાની માંગ કરી હતી. દીપિકાની ઓરેન્જ બિકિની અને તેના પહેરવેશ પર ફેરફારની ડિમાંડ મુકવામાં આવી હતી. 

તેના પર રિએક્ટ કરતા જાવેદ અખ્તરે કહ્યું- જો તે વિચારે છે કે મધ્ય પ્રદેશ માટે અલગ સેન્સર બોર્ડ હોવું જોઈએ, તો તેમણે અલગ જઈને ફિલ્મ જોવી જોઈએ. જો તે કેન્દ્રના ફિલ્મ સર્ટિફિકેશનથી નાખુશ છે તો અમે તેમની વચ્ચે નથી આવવા માંગતા. તે તેમના અને સરકારની વચ્ચેની વાત છે. 

સેન્સર બોર્ડ પર શું બોલ્યા જાવેદ? 
જ્યારે જાવેદ અખ્તર પાસેથી હાલમાં જ બનેલ 'ધર્મ સેન્સર બોર્ડ' વિશે પૂછવામાં આવ્યું તે તેમણે કહ્યું- મધ્ય પ્રદેશમાં એક જ સેન્સર બોર્ડ છે. પછી કેન્દ્રનું અલગથી એક સેન્સર બોર્ડ છે. તેમાં શું સમસ્યા છે? આપણી પાસે 4-5 મુખ્ય ધર્મ છે અને તેમના પોતાના સેન્સર બોર્ડ હોવા જોઈએ. કદાચ ત્યારે જ મોલવી ફિલ્મો જોવાનું શરૂ કરશે. તેને કરો, મહત્વનું છે કે હાલમાં જ જગત ગુરૂ શંકરાચાર્યએ ધર્મ સેન્સર બોર્ડની જાહેરાત કરી છે. 

બેશર્મ રંગ વિવાદ પર શું કહ્યું? 
પઠાનના બેશર્મ રંગ કોન્ટ્રોવર્સી પર બોલતા જાવેદ અખ્તરે કહ્યું- આપણે અને તમે નિર્ણય કરનાર કોણ છીએ કે ગીત યોગ્ય છે કે નહીં. તેના માટે આપણી પાસે એક એજન્સી છે. લોકોને સેન્સર બોર્ડનો વિશ્વાસ કરવો જોઈએ. તે ફેરફારો પર પણ વિશ્વાસ કરવો જોઈએ જે સેન્સર બોર્ડે આપ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ