બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / jammu kashmir and ladakh separate union territories sardar patel jayanti 31 oct
Hiren
Last Updated: 03:38 PM, 31 October 2019
કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર સહિત જમ્મૂ કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત જાહેર કરનારો રાજપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. જમ્મૂ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે, સાથે જ તેનું પુનર્ગઠન પણ થઇ ગયું છે.
રાજ્યના પુનર્ગઠન લાગૂ થવાની તારીખ 31 ઓક્ટોબર રાખવામાં આવી જે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની જયંતીનો દિવસ છે. આઝાદીના સમયે 565 રજવાડાને એક તાંતણે બાંધીને એક મજબૂત ભારત બનાવનાર લોખંડી પુરૂષ સરદાર પટેલના જન્મ દિવસ પર જમ્મૂ કાશ્મીરનો પુર્નજન્મ ઐતિહાસિક છે.
ભારતનો રાજપત્ર
આજથી જમ્મૂ કાશ્મીરમાં શું બદલાયું?
1. અત્યાર સુધી પૂર્ણ રાજ્ય રહેલું જમ્મૂ કાશ્મીર ગુરૂવાર એટલે 31 ઓક્ટોબર 2019થી બે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બદલાય ગયું. જમ્મૂ કાશ્મીરનો વિસ્તાર અલગ અને લદ્દાખનો વિસ્તાર અલગ વહેંચાય ગયો છે. જેથી હવે આ બે અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે.
2. જમ્મૂ કાશ્મીર રાજ્ય પુનર્ગઠન કાયદા હેઠળ લદ્દાખ હવે વિધાનસભા વગરનું કેન્દ્ર શાસિત પ્રદેશ અને જમ્મૂ કાશ્મીર વિધાનસભા સહિતનું કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે.
3. અત્યાર સુધી જમ્મૂ કાશ્મીરમાં રાજ્યપાલ પદ હતું પરંતુ હવે બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપ રાજ્યપાલ હશે. જમ્મૂ કાશ્મીર માટે ગિરીશ ચંદ્ર મુર્મીને અને લદ્દાખ માટે રાધાકૃષ્ણ માથુરને ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
4. હવે બન્ને રાજ્યોમાં એક જ હાઇકોર્ટ હશે પરંતુ બન્ને રાજ્યોના વકિલ જનરલ અલગ હશે. સરકારી કર્મચારીઓની સામે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કોઇ એકને પસંદ કરવાનો વિકલ્પ હશે.
5. રાજ્યમાં વધુ પડતા કેન્દ્રના કાયદાઓ લાગૂ નહોતા થતા, પરંતુ હવે કેન્દ્ર શાસિત રાજ્ય બની ગયા બાદ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ બન્ને રાજ્યોમાં ઓછામાં ઓછા 106 કેન્દ્રીય કાયદાઓ લાગૂ થઇ શકશે.
6. આમાં કેન્દ્ર સરકારની યોજનાઓની સાથે કેન્દ્રીય માનવાધિકાર આયોગનો કાયદો, સૂચના અધિકાર કાયદો, એમની પ્રોપર્ટી એક્ટ અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાથી રોકનાર કાયદો સામેલ છે.
7. જમીન અને સરકારી નોકરી પર માત્ર રાજ્યના સ્થાયી નિવાસીઓના અધિકારવાળા 35-એ હટાવ્યા બાદ કેન્દ્ર શાસિત જમ્મૂ કાશ્મીરમાં જમીનથી જોડાયેલ ઓછામાં ઓછા 7 કાયદાઓમાં ફેરફાર થશે.
8. રાજ્ય પુનર્ગઠન કાયદા હેઠળ જમ્મૂ કાશ્મીરના અંદાજિત 153 તેવા કાયદા ખતમ થઇ જશે, જેમને રાજ્ય સ્તરે બનાવવામાં આવ્યા હતા. જોકે 166 કાયદાઓ હજુ પણ બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગૂ રહેશે.
વહીવટી અને રાજકીય વ્યવસ્થામાં પણ ફેરફાર
9. રાજ્યના પુનર્ગઠનની સાથે રાજ્યની વહીવટી અને રાજકીય વ્યવસ્થા પણ બદલી રહી છે. જમ્મૂ કાશ્મીરમાં જ્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની સાથો સાથ વિધાનસભા પણ બનાવી રાખી છે. ત્યાં પહેલાના પ્રમાણમાં વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષની જગ્યાએ દેશના બાકીના ભાગોની જેમ 5 વર્ષનો જ હશે.
10. વિધાનસભામાં અનુસૂચિત જાતિની સાથો સાથ હવે અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત હશે.
11. પહેલા કેબિનેટમાં 24 મંત્રી બનાવી ચૂકાયા હતા, હવે બીજા રાજ્યોની જેમ કુલ સભ્ય સંખ્યાના 10 ટકાથી વધુ મંત્રી નહીં બનાવી શકાય.
12. જમ્મૂ કાશ્મીર વિધાનસભામાં પહેલા વિધાન પરિષદ પણ હતી, તે હવે નહીં હોય. જોકે રાજ્યથી આવનારી લોકસબા અને રાજ્યસભાની બેઠકોની સંખ્યા પર કોઇ પ્રભાવ નહીં પડે.
13. કેન્દ્ર શાસિત જમ્મૂ કાશ્મીરથી 5 અને કેન્દ્ર શાસિત લદ્દાખથી એક લોકસભા સાંસદ જ ચૂંટાઇને આવશે. આ પ્રકારે કેન્દ્ર શાસિત જમ્મૂ કાશ્મીરથી પહેલાની જેમ જ રાજ્યસભાના 4 સાંસદ જ ચૂંટાઇને જશે.
ચૂંટણી પંચ સીમાંકનની પ્રક્રિયા શરૂ કરી શકે છે
14. એક મોટી વાત એ પણ છે કે 31 ઓક્ટોબર બાદ ચૂંટણી પંચ રાજ્યમાં સીમાંકનની પ્રક્રિયા શરૂ કરી શકે છે. જેમાં જનસંખ્યાની સાથે ભૌગોલિક, સામાજિક, આર્થિક બિંદુઓ પર ધ્યાન રાખવામાં આવી શકે છે.
15. જમ્મૂ કાશ્મીરમાં અત્યાર સુધીમાં 87 બેઠકો પર ચૂંટણી થતી હતી. જેમાં 4 લદ્દાખની, 46 કાશ્મીરની અને 37 જમ્મૂની બેઠક હતી. લદ્દાખની 4 બેઠકો હટાવીને હવે કેન્દ્ર શાસિત જમ્મૂ કાશ્મીરમાં 83 બેઠકો બચી છે, જેમાં સિમાંકન થવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ