બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Jabbe accused in rape case with minor in Rajkot

આરોપી ઝબ્બે / રાજકોટમાં લાકડા વીણવા ગયેલી સગીરા પર રેપ વિથ મર્ડર, આરોપીનું નામ જાણી પરિવાર ઘેરા આઘાતમાં, ઘટના માં-બાપને ચેતવતી

Dinesh

Last Updated: 06:21 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં સગીરાની હત્યા કરનાર આરોપી જયદીપ દેવીપૂજક ઉર્ફે જયું નામના આરોપીની ધરપકડ કરાઈ છે

  • રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મ કેસનો આરોપી ઝબ્બે
  • આરોપી જયદીપ મૃતક સગીરાનો પરિચિત હતો 
  • સગીરાના પરિવારના ઘરે આરોપીની હતી આવન-જાવન


રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી જયદીપ દેવીપૂજકની ધરપકડ બાદ પોલીસને સમગ્ર ઘટના અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઇ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી જયદીપ પરમાર નામનો આરોપી સગીરાના પરિવાર સાથે પરિચિત હતો. તે મૃતક સગીરાના ઘરે આવતો જતો હતો. 

લોખંડના સળિયા વડે સગીરાની હત્યા કરી
લાકડા વીણવા ગયેલી સગીરાને જોઇ આરોપી કારખાનામાં પહોંચી ગયા હતો. જે બાદ સગીરા સાથે દુષ્કર્મ આચરી લોખંડના સળિયા વડે હત્યા નીપજાવી હતી. આટલું ઓછું હોય તેમ આરોપીએ સગીરાના પરિવાર સાથે મળી યુવતીને શોધવા માટે નાટક પણ કરી રહ્યો હતો. જો કે, પોલીસ તપાસમાં સગીરાનો પરિચિત જ હત્યારો નીકળતાં પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ વિગતો માટે તપાસ હાથ ધરી છે.

આરોપી નાહિત ઇતિહાસ ધરાવે છે
જાણવા મળ્યું છે કે, આરોપી સગીરાનાં પરિવારથી પરિચિત હોવાનો ખુલાસો સામે આવ્યું છે તેમજ આરોપી જયદીપ પરમાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જયદીપ પરમાર સગીરાનાં ઘરે આવતો જતો હતો અને સગીરા ગુમ થઈ તે દિવસે તે બંધ કારખાનામાં લાકડા વીણવા ગઈ હતી. કારખાનામાં સગીરાને જતા જોઈ આરોપી કારખાનામાં પહોંચી ગયો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી હત્યા કરી નાંખી હતી. જે મામલે હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય પુરાવાઓને આધારે પોલીસે આરોપીને પકડ્યો છે. જો કે, પોલીસ પૂછપરછમાં આરોપીએ સમગ્ર ઘટના કબૂલી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ