બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ITR verification: Income tax department has this important message for taxpayers
Hiralal
Last Updated: 04:04 PM, 26 August 2023
દેશમાં વધુને વધુ લોકો આવકવેરા રિટર્ન ફાઇલ કરે તે માટે સરકાર અને આઇટી વિભાગ સમયાંતરે પ્રયાસો કરતા રહે છે. તેની અસર આ વર્ષે પણ જોવા મળી છે. આ વર્ષે લગભગ 6 કરોડ ટેક્સપેયર્સે આઇટીઆર ફાઇલ કર્યું છે. પરંતુ આ દરમિયાન કેટલાક લોકો એવા પણ છે જેમણે આઇટીઆર ફાઇલ કર્યું છે પરંતુ તેનું ઇ-વેરિફિકેશન કર્યું નથી. આવકવેરા વિભાગે આવા કરદાતાઓ માટે ચેતવણી જારી કરી છે. આઈટી વિભાગની ચેતવણીમાં કહેવાયું છે કે જે લોકો રિટર્ન ફાઈલ કર્યું છે તેમણે ફાઈલના 30 દિવસની અંદર ઈ વેરિફિકેશન કરી લેવું પડશે નહિંતર તેમને પેનલ્ટી સહિત બીજું ઘણું નુકશાન વેઠવાનો વારો આવી શકે છે.
Dear Taxpayers,
— Income Tax India (@IncomeTaxIndia) August 26, 2023
Complete the e-filing process today!
Please find below the modes of e-verification of return.
Remember to verify your ITR within 30 days of filing. Delayed verification may lead to levy of late fee in accordance with provisions of the Income-tax Act, 1961.… pic.twitter.com/bu7jrXLFNH
આઈટીઆર ફાઈલ કર્યાના 30 દિવસની અંદર ઈ વેરિફિકેશન કરો
પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર આવકવેરા વિભાગે કહ્યું કે જે કરદાતાઓએ પોતાનું ઈ-ફાઇલિંગ પૂરું નથી કર્યું, તેમણે આજે જ આ પ્રક્રિયા પૂરી કરવી જોઇએ! વિભાગે ઈ વેરિફિકેશન કેવી રીતે કરવું તેની રીત પણ જણાવી છે. આઈટી વિભાગનું કહેવું છે કે આઈટીઆર ફાઈલ કર્યાના 30 દિવસની અંદર ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જો તમે આ ન કરો, તો તમારે પછીથી દંડ ભરવો પડી શકે છે. આઈટી વિભાગનું એવું પણ કહેવું છે કે ઈ વેરિફિકેશન ન કરવાના કિસ્સામાં તમને રિફંડ લેવામાં પણ તકલીફ પડી શકે છે. નિયત સમય કરતાં મોડું આઈટીઆઈર ફાઈલ કરવા પર તમારે લેટ ફી પણ ચુકવવી પડી શકે છે.
ઈ-વેરિફિકેશન કેવી રીતે કરવું?
ઈ-વેરિફિકેશન માટે આઇ-ટી વિભાગે પાંચ પ્લેટફોર્મ જેવા કે બેન્ક એકાઉન્ટ, નેટ બેન્કિંગ, બેન્ક એટીએમ, આધાર અથવા ડીમેટ એકાઉન્ટનો વિકલ્પ પૂરો પાડ્યો છે.
ઇ-વેરિફિકેશન પૂર્ણ કરવા માટે સૌથી પહેલા આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલની મુલાકાત લો.
તમારો પાન નંબર અને પાસવર્ડ દાખલ કરો.
લોગિન કરતાની સાથે જ તમને ઈ-વેરિફિકેશનનો ઓપ્શન દેખાશે.
તમારા નેટ બેંકિંગ, બેંક એટીએમ, આધાર, ડિમેટ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટમાંથી એકને પસંદ કરો
જો તમે આધાર વિકલ્પ સિલેક્ટ કર્યો છે તો તેની સાથે જોડાયેલા નંબર પર OTP આવશે, તેને એન્ટર કરો.
આ પછી ઈ-વેરિફિકેશનની પ્રક્રિયા સરળતાથી પૂરી થઈ જશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh