બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ISRO scientists were happy to hear PM Modi's announcement
Priyakant
Last Updated: 11:28 AM, 26 August 2023
બ્રિક્સ અને ગ્રીસનો પ્રવાસ પૂરો કરીને વહેલી સવારે બેંગલુરુ પહોંચેલા PM મોદીએ થોડીક સેકન્ડો પહેલા એવી જાહેરાત કરી હતી, જેનાથી દરેક વૈજ્ઞાનિકના ચહેરા પર રોનક આવી ગઈ હતી. વાત જાણે એમ છે કે, ચંદ્રયાન-3ની સફળતાને નામ આપવાની આ જાહેરાત હતી. PM મોદીએ જેવા વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા અને દર વર્ષે 23 ઓગસ્ટને ' નેશનલ સ્પેસ ડે ' તરીકે ઉજવવાની જાહેરાત કરી કે તરત જ આખો હોલ ઉત્સાહથી ભરાઈ ગયો. મોદીએ કહ્યું કે, ભારતે આ દિવસે ચંદ્ર પર તિરંગો ફરકાવ્યો હતો, તેથી આ દિવસને હવે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે.
PM મોદીએ દેશના યુવાનોને આપ્યો નવો ટાસ્ક #PMModi #Chandryaan3 #ISROChandrayaan3 pic.twitter.com/BK6CS3L6kU
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2023
વૈજ્ઞાનિકોના ચહેરા પર આનંદ અને વધુ બે નામકરણ
PM મોદીએ આ દરમિયાન વધુ બે નામકરણ પણ કર્યું. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમે જ્યાં અંગદની જેમ પગ મૂક્યો છે, તે જગ્યાનું નામ ' શિવ શક્તિ ' પોઇન્ટ રાખવામાં આવશે. તેમણે કહ્યું કે, સ્પર્શના બિંદુઓને નામ આપવાની વૈજ્ઞાનિક પરંપરા છે. આવી સ્થિતિમાં શિવ શક્તિથી સારું બીજું કોઈ નામ ન હોઈ શકે, કારણ કે તે હિમાલયથી લઈને કન્યાકુમારી સુધી ભારતની એકતાનો અહેસાસ કરાવે છે. આ સાથે ચાર વર્ષ પહેલા ચંદ્રયાન-2ના મિશન દરમિયાન ચંદ્રની સપાટીને ચુંબન કરનાર તેના લેન્ડર વિક્રમના સ્પર્શ બિંદુને પણ તિરંગો નામ આપવામાં આવ્યું હતું.
23 ઓગસ્ટ એટલે 'નેશનલ સ્પેસ ડે'
PM મોદીએ કહ્યું, જ્યારે ભારતે 23 ઓગસ્ટે ચંદ્ર પર તિરંગો લહેરાવ્યો હતો, ત્યારે ભારત હવે તે દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ ( નેશનલ સ્પેસ ડે ) તરીકે ઉજવશે. આ દિવસ દેશવાસીઓને આગળ વધવાની પ્રેરણા આપતો રહેશે. જ્યારે PM મોદીએ નેશનલ સ્પેસ ડેની જાહેરાત કરી ત્યારે ઈસરોના હોલમાં હાજર વૈજ્ઞાનિકો લાંબા સમય સુધી તાળીઓ પાડતા રહ્યા.
ચંદ્રયાન-3 ટચપોઇન્ટનું નામ શિવ શક્તિ
આ સિવાય PM મોદીએ પોતાના ભાષણમાં વધુ બે મોટી જાહેરાતો કરી. તેમણે તે બિંદુને નામ આપ્યું જ્યાં ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતર્યું. તેમણે કહ્યું કે ચંદ્રના જે ભાગ પર આપણું ચંદ્રયાન ઉતર્યું છે, ભારતે તે જગ્યાનું નામ પણ નક્કી કર્યું છે. ચંદ્રયાન-3નું મૂન લેન્ડર જે સ્થાન પર ઉતર્યું હતું, હવે તે બિંદુ 'શિવ શક્તિ' તરીકે ઓળખાશે.
ચંદ્રયાન-2ના પગના નિશાનનું નામ તિરંગા
ચાર વર્ષ પહેલા ચંદ્ર પર તે સ્થાન જ્યાં ચંદ્રયાન-2 ઉતરવાનું હતું, એટલે કે જ્યાં તેના પગના નિશાન છે તેમણે તે બિંદુને પણ નામ આપ્યું. PM મોદીએ કહ્યું કે, ચંદ્ર પર જે બિંદુએ ચંદ્રયાન-2એ તેના પગના નિશાન છોડ્યા હતા તેને હવે 'તિરંગો' કહેવામાં આવશે. આ તિરંગા બિંદુ ભારતના દરેક પ્રયાસ માટે પ્રેરણા બનશે, આ તિરંગો બિંદુ આપણને શીખવશે કે કોઈપણ નિષ્ફળતા અંતિમ નથી.
ચંદ્રયાન 3 જ્યાં ઉતર્યું, તે જગ્યાનું નામ 'શિવશક્તિ'#Chandryaan3 #PMModi #ISROChandrayaan3 pic.twitter.com/VIkP2D7Vdg
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2023
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh