બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Arohi
Last Updated: 03:05 PM, 23 March 2024
વર્ષ 2007માં જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીને ટી-20 વર્લ્ડ કપ માટે કેપ્ટન બનાવવામાં આવ્યા હતા તો ઘણા સવાલ ઉઠ્યા હતા. આખરે યુવરાજ અને સહેવાગના હોવા છતાં કેપ્ટન્સી ધોનીને કેમ સોંપવામાં આવી? હવે સચિને તેનો ખુલાસો કર્યો છે.
CSK Vs RCB મેચમાં જીયો સિનેમા પર ચર્ચા વખતે સચિને જણાવ્યું કે તેમણે જ બીસીસીઆઈને કહ્યું હતું કે ધોનીને વ્હાઈટ બોલ ક્રિકેટની કેપ્ટન્સી સોંપવામાં આવે. બાદમાં કેપ્ટન્સી કરતા ધોનીએ ભારતને 2007 ટી-20 વર્લ્ડ કપમાં જીત અપાવી હતી.
મેં કહ્યું હતું તેમને સિલેક્ટ કરો
સચિને જણાવ્યું કે ત્યારના બીસીસીઆઈ અધ્યક્ષ શરદ પવારે તેમને ટીમની કેપ્ટન્સી કરવા માટે કહ્યું હતું. તેના બાદ સચિને શરદ પવારને પોતાની ફિટનેસ વિશે વાત કરી હતી. સચિને જણાવ્યું કે ફિટનેસની સમસ્યાથી ઝઝુમી રહ્યા હતા. એવામાં કેપ્ટન્સી કરતા ટીમ પર સારો પ્રભાવ ન પડત. માટે મેં કેપ્ટન્સીનો ઈનકાર કરી નાખ્યો.
સચિને આગળ જણાવ્યું કે તે સમયે મેં શરદ પવારને કહ્યું હતું કે ધોની કેપ્ટન્સી માટે સારો ઓપ્શન છે. સચિને તેના પાછળનું કારણ પણ જણાવ્યું. આ વાતચીત વખતે સચિન તેંડુલકરની સાથે વીરેન્દ્ર સહેવાગ અને આકાશ ચોપડા પણ હાજર હતા.
કર્યા ધોનીના વખાણ
સચિને જણાવ્યું કે જ્યારે હું સ્લિપમાં ફિલ્ડિંગ કરતો હતો તો વિકેટકીપિંગ કરી રહેલા ધોની સાથે વાતચીત થતી રહેતી હતી. મેચની સ્થિતિને લઈને હું તેને પુછતો કે આ સ્થિતિમાં તમે શું કરત? ધોની જવાબ સંપૂર્ણ રીતે બેલેન્સ કરતા હતા. સચિને જણાવ્યું કે ગેમને લઈને ધોનીની અવેયરનેસ કમાલની છે.
સચિને ધોનીની સ્થિરતા, શાંતચિત્ત રહેવાની આદત અને પ્રેશરમાં સારા નિર્ણય કરવાની આવડતના પણ ખૂબ વખાણ કર્યા. જણાવી દઈએ કે ધોની નવી IPL 2024ની શરૂઆતના પહેલા કેપ્ટન્સીમાંથી રાજીનામું આપી ચુક્યા છે. તેમની જગ્યા પર ઋતુરાજ ગાયકવાડ ટીમની કેપ્ટન્સી કરી રહ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir