બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 rcb vs srh if royal challengers bangalore lose against hyderabad csk and lsg will qualify for playoffs
Malay
Last Updated: 08:31 AM, 18 May 2023
IPL 2023ના લીગ તબક્કાનું છેલ્લું અઠવાડિયું શરૂ થઈ ગયું છે અને અત્યાર સુધી માત્ર ટેબલ ટોપર ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. હજુ ત્રણ ટીમો ક્વોલિફાય થવાની બાકી છે જેના માટે ટીમો વચ્ચે જોરદાર જંગ ચાલી રહ્યો છે. આ માટે સાત ટીમોની વચ્ચે કાંટાની ટક્કર છે. જેમાં સૌથી વધારે કાંટાની ટક્કર આરસીબી અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે બે ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે. ફક્ત એટલું જ નહીં આ ટીમો મેચ રમ્યા વગર ક્વોલિફાય થઈ શકે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે શક્ય છે, મેચ રમ્યા વગર કોઈ ટીમ કેવી રીતે પ્લોઓફમાં ક્વોલિફાય થઈ શકે. તો અહીં નીચે વાંચી લો કે આ ટીમો મેચ રમ્યા વગર કેવી રીતે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે.
RCB હારે તો આ 2 ટીમોને થશે ફાયદો
આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. ત્યારે કોઈપણ સ્થિતિમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આજની મેચ જીતવી પડશે, તો જ પ્લેઓફની રેસમાં RCBની સ્થિતિ મજબૂત થશે. જો આવું ન થાય તો તેને અન્ય ટીમોના મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. પરંતુ જો આજે આરસીબી હારી જશે તો બે ટીમોને ફાયદો થશે. જો આજે હૈદરાબાદની સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચ હારી જાય છે તો ચેન્નાઇ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ મેચ રમ્યા વગર જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકશે. કારણ કે આ બંને ટીમોના હાલ 15 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં આરસીબીની હારથી બે ટીમોની કિસ્મત ચમકી શકે છે.
RCB પાસે હજુ પણ ઘણી સારી તક હશે
જો RCBની ટીમ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ હારી જાય છે, તો તેના સહિત મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ સહિતની ટીમો વચ્ચે જોરદાર કાંટાની ટક્કર થશે. કારણ કે આ મેચ બાદ પ્લેઓફમાં જવા માટે માત્ર એક જ સ્થાન બચશે અને ટીમો હશે પાંચ. જો મુંબઈ આજની મેચ હારી જાય છે અને આ ટીમો તેમની બાકીની એક-એક મેચ જીતી જાય છે, તો નેટ રન રેટના આધારે આ પાંચમાંથી માત્ર એક ટીમ આગલા રાઉન્ડ માટે એટલે કે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકશે. જોકે, RCB પાસે હજુ પણ ઘણી સારી તક હશે કારણ કે તેની ટીમનો નેટ રન રેટ આ ટીમો કરતા ઘણો સારો છે.
હૈદરાબાદના મેદાનમાં હજુ એક મેચ જીતી શકે છે RCB
હૈદરાબાદના મેદાન પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અહીંના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં RCBનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે. આરસીબીએ આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ સાત મેચ રમી છે, જેમાં તે માત્ર એક જ મેચ જીતી શકી છે. બાકીની છ મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં RCBની સેના આ મેચમાં પોતાનો જૂનો રેકોર્ડ સુધારવા માંગશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh