બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / બિઝનેસ / Invested in a flat scheme but the construction has been stalled for a long time Know what you should do in such a situation
Arohi
Last Updated: 06:49 PM, 22 February 2023
ઘણી વખત બિલ્ડર પોતાની આળસના કારણે વર્ષો સુધી બિલ્ડિંગનું કામ ચાલુ રાખે છે અને તેના કારણે એક મિડલ ક્લાસ પર તેનો ખૂબ બોજો પડે છે. પહેલો હોમ લોનના ઈએમઆઈ કપાતા રહેશે, બીજુ ભાડાના ઘરનું ભાડુ આપવું પડે. આટલું જ નહીં લાખો રૂપિયા ડાઉનપેમેન્ટ અટકી જાય છે તે અલગ. એવામાં એક ઘર ખરીદનારે શું કરવું જોઈએ? આવો તમને જણાવીએ...
તમને જણાવી દઈએ કે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ અનારોકે ગયા વર્ષે એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના 7 પ્રમુખ શહેરોમાં લગભગ 4.8 લાખ ઘરોનું કંસ્ટ્રક્શન અટકી પડ્યું છે. આ બંધ પડેલા પ્રોજેક્ટ્સમાં લગભગ 4 લાખ કરોડ રૂપિયા પણ ફસાયેલા છે. આટલું જ નહીં હાલમાં જ નોએડા ઓથોરિટીએ જાહેરાત કરી છે કે આ સામાન્ય ઘર ખરીદનારની વચ્ચે પારદર્શિતા લાવવા માટે એક એટકેલા પ્રોજેકટ્સની પણ જાણકારી સાર્વજનિક કરશે.
RERAની આ રીતે લો મદદ
વર્ષ 2016માં ભારત સરકારે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના ગઠનનો રસ્તો સાફ કર્યો હતો. ત્યાર બાદ અલગ અલગ રાજ્ય સરકારોએ રાજ્ય રેરાનું ગઠન કર્યું. ઘર ખરીદનાર માટે આ સારી સુવિધા છે. રેરાનું ગઠન રિયલ એસ્ટેટ સેક્ટરની કમજોરીને દૂર કરીને બિલ્ડર્સ માટે નિયમ ફાયદા બનાવે છે અને ઘર ખરદનારની વચ્ચે વિશ્વાસ વધારવા માટે કરવામાં આવ્યું હતું.
રેરાએ બિલ્ડર્સ માટે ઘણા પેરામિટર બનાવ્યા છે જેને ઘર ખરીદનારથી ભેગુ કર્યું 70 ટકા પૈસા એક અલગ બેંક ખાતામાં રાખવામાં આવશે. જેનો ઉપયોગ ફક્ત કંસ્ટ્રક્શનમાં હશે. ત્યાં જ કોઈ પ્રોજેક્ટમાં મોડુ થવા પર Home Buyersને માસિક વ્યાજની સાથે રિફડ કરવાની પણ જોગવાઈ છે. પછી પણ જો તમારો પ્રોજેક્ટ અટકેલો છે તો એક ઘર ખરીદનારની રીતે તમારી પાસે બીજો શું વિકલ્પ છે?
ઘર ખરીદનાર પાસે વિકલ્પ
અટકેલા પ્રોજેક્ટના મામલામાં કોઈ ઘર ખરીદનાર પાસે ઘણી વિકલ્પ રહેલા હોય છે. સૌથી પહેલો વિકલ્પ હોય છે કે તે તેના માટે પોતાના રાજ્યના રેરામાં ફરિયાદ દાખલ કરી શકે છે. કાયદાકીય રીતે રેરાને કોઈ પણ ફરિયાદનું નિવારણ 60 દિવસની અંદર કરવાનું હોય છે.
જો તમારી ફરિયાદ પર RERAની તરફથી કોઈ આદેશ કરવામાં આવે છે તો બિલ્ડરને તેને 45 દિવસની અંદર લાગુ કરવાનો રહે છે. જો બિલ્ડર આમ નહીં કરે તો રેરા પ્રોપર્ટીની વેલ્યુના 5 ટકા બરાબર બિલ્ડર પર દંડ લગાવી શકે છે અથવા 3 વર્ષ સુધીની સજા પણ ફટકારી શકે છે. આટલું જ નહીં રેરા એ બિલ્ડરના અન્ય પ્રોજેક્ટને પણ મંજૂરી આપવાથી રોકી શકે છે. જોરે રેરાના ઓર્ડરને બે પક્ષોમાંથી કોઈ પણ રિયલ એસ્ટેટ અપીલીય જોગવાઈમાં પડકાર આપી શકે છે.
રેરાનો સૌથી મોટો ફાયદો એ છે કે બિલ્ડરના વિરૂદ્ધ કોઈ એકલું ઘર ખરીદી અથવા આખુ ગ્રુપ મળીને બંન્ને પ્રકારની ફરિયાદ કરી શકે છે. જોકે જામીન પર એક પડકાર રેરાના આદેશનું પાલન કરે છે. કારણ કે રેરાના નિર્ણયને લાગુ કરવાની જવાબદારી સ્થાનીક પ્રશાસનની છે.
RERAમાં Home Buyersને મળશે અધિકાર
રેરામાં ઘર ખરીદનારને અમુક મહત્વના અધિકાર આપવામાં આવે છે. જેવા કે સુચનાનો અધિકાર, તેના હેઠળ ઘર ખરીદનાર ડેવલપરના કોઈ પ્રોજેક્ટથી જોડાયેલા બધા મહત્વના દસ્તાવેજની માંગ કરી શકે છે જેમાં જમીન ફાળવણીથી લઈને લેઆઉટ પ્લાન પણ શામેલ છે.
ઘર ખરીદનારને રેરા બીજો અધિકાર ઘર પર કબ્જો અપાવવાનો આપે છે. તેનો ઉપયોગ કરીને ઘર ખરીદનાર પોતાના સેલ્સ એગ્રીમેન્ટ અનુસાર કોઈ પ્લોટ, અપાર્ટમેન્ટ અથવા કોમન એરિયા પર અધિકાર કરવાનો દાવો કરી શકે છે.
ત્રીજો મોટો અધિકાર આ સ્થિતિમાં છે જ્યારે ઘર ખરીદનાર અટકેલા પ્રોજેક્ટમાં વધારે રોકાણ ન કરવા માંગે અને તેના બદલામાં રિફંડ લેવા માંગે. રેરા લોકોને વ્યાજ સહિત પૈસા રિફંડ મેળવવાનો અધિકાર પણ આપે છે.
ત્યાં જ જો કોઈ પ્રોજેક્ટમાં સ્ટ્રક્ચર ડિફેક્ટ છે અથવા કબજો મળવાના 5 વર્ષની અંદર જ બિલ્ડિંગ મટેરિયલની ગુણવત્તા ખરાબ થઈ ગઈ છે ત્યારે બિલ્ડરને 30 દિવસની અંદર તેને યોગ્ય કરવાનું હોય છે તે પણ હોમ બાયર પર કોઈ વધારે બોજ નાખ્યા વગર.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh