બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / વિશ્વ / indians in us physician mihir meghani millions dollar hinduism hindu advocacy in america amrk
Dinesh
Last Updated: 09:37 AM, 25 November 2023
અમેરિકામાં ભારતીય મૂળના એક ડોક્ટર આ દિવસોમાં ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે તેણે અમેરિકામાં હિંદુ ધર્મના પ્રચાર માટે ચાલીસ મિલિયન ડોલરનું દાન આપવાની જાહેરાત કરી છે. મિહિર મેઘાણી નામના આ ભારતીય ડૉક્ટરનું કહેવું છે કે હિંદુએ માત્ર એક ધર્મ નથી પરંતુ તે એક જીવનશૈલી છે. તેણે લગભગ બે દાયકા પહેલા તેના કેટલાક મિત્રો સાથે મળીને હિન્દુ અમેરિકા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ મહિનાની શરૂઆતમાં તેણે આગામી આઠ વર્ષમાં હિંદુ કાર્યો માટે $1.5 મિલિયનનું દાન આપવાનું વચન આપ્યું હતું. જો આપણે હિંદુ ધર્મના પ્રચાર માટે 1.5 મિલિયન ડોલરની આ મદદ સામેલ કરીએ તો તે આગામી બે દાયકામાં 40 મિલિયન ડોલરનું દાન કરશે. આ સાથે તે સંભવિતપણે પ્રથમ ભારતીય-અમેરિકન બની ગયા છે જેમણે હિંદુ ધર્મને આટલી મોટી રકમનું દાન કરવાનું વચન આપ્યું છે.
15 લાખ ડોલર આપ્યા...
મિહિર કહે છે કે મેં અને મારી પત્નીએ અત્યાર સુધીમાં હિંદુ અમેરિકન ફાઉન્ડેશનને 15 લાખ ડોલર આપ્યા છે. અમે છેલ્લા 15 વર્ષમાં હિંદુ અને ભારતીય સંગઠનોને 10 લાખ ડૉલરથી વધુની નાણાકીય સહાય પૂરી પાડી છે. અમે આગામી આઠ વર્ષમાં ભારત તરફી અને હિન્દુ સંગઠનોને 1.5 મિલિયન ડોલર આપવાનું વચન આપી રહ્યા છીએ. મિહિર મેઘાણીએ જણાવ્યું હતું કે હિંદુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે આટલી મોટી રકમ આપવા પાછળનો હેતુ એ છે કે આપણે માત્ર હિંદુ ધર્મનો પ્રચાર કરવા માંગુ છું. મોટાભાગના અમેરિકન નાગરિકો આ ધર્મને સરળતાથી સમજી શકતા નથી કારણ કે ત્યાંના મોટાભાગના લોકો ખ્રિસ્તી છે. તેમણે કહ્યું કે તે અબ્રાહમિક બેકગ્રાઉન્ડમાંથી આવે છે. જ્યારે તેઓ અન્ય ધર્મો તરફ જુએ છે ત્યારે તેઓ સમજી શકતા નથી કે હિન્દુ ધર્મ માત્ર એક ધર્મ નથી. જીવન જીવવાની આ એક રીત છે. તે જીવન વિશે વિચારવાનો એક માર્ગ છે. તેમનું કહેવું છે કે ભારતમાંથી આવતા હિંદુઓ એ નથી સમજતા કે હિંદુત્વ તેમની ઓળખ છે. આપણે તેના વિશે વાત કરવાની જરૂર છે.
'હિંદુ ધર્મના પ્રચાર માટે બચત'
તેણે કહ્યું કે તેની ન તો કોઈ સ્ટાર્ટઅપ કંપની છે અને ન તો તે કોઈ પ્રકારનો સાઇડ બિઝનેસ કરે છે. મિહિર કહે છે કે તે પગારદાર ડોક્ટર છે. તેમની પત્ની ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર અને જ્વેલરી ડિઝાઈનર છે. મિહિર કહે છે કે અમારી પાસે કોઈ કંપનીમાં શેરહોલ્ડિંગ પણ નથી. અમે અમારી બચત માત્ર હિંદુ ધર્મના પ્રચારમાં લગાવીએ છીએ કારણ કે તે અમારી ફરજ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh