બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 11:50 PM, 11 October 2023
એન્ડ્રોઈડની લોકપ્રિયતાથી કોઈ અજાણ નથી. ભારત સહિત વિશ્વમાં અસંખ્ય લોકોના મોબાઈલ ફોન આ ઓપરેટિંગ સિસ્ટમ (OS) મુજબ કામ કરે છે. તેવામાં હવે ભારત સરકારે એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર કરી. Android OS વર્ઝન 11, 12, 12L અને 13 વાપરતા હેન્ડસેટ યુઝર્સને સૂચના આપી છે. મહત્વનું છે કે Google, Samsung, Realme, Redmi, OPPO, Vivo અને OnePlus કંપનીના ફોન Android OS પર કામ કરતા હોવાથી જો તમે Apple iPhone સિવાય અન્ય કોઈ બ્રાન્ડ જે પણ કંપનીનો ફોન વાપરો છો તેમાં સતર્ક થવાની જરૂરી છે.
હેક થતા મહત્વના ડેટાનો દૂરઉપયોગ
ભારતીયોને ઈન્ટરનેટ અને વર્ચ્યુઅલ વર્લ્ડના ખતરા સામે ઉગારી લેવા માટે આ ચેતવણી જારી કરાઈ છે. ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સરકારી એજન્સી દ્વારા બહુવિધ નબળાઈઓ મામલે ખુલાસા કરાયા છે. આ ખતરનાક નબળાઈને લઈને હેકર્સ સામાન્ય લોકોના ફોનમાં ઘુસી ડેટાને ચોરી શકે છે. CERT-In ના જણાવાયા અનુસાર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળની આ નબળાઈના પરિણામે હેકર્સ અને સ્કેમર્સ એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સમાંથી ખૂબ જરૂરી ગણાતો ડેટાની ચોરી કરે છે. સ્માર્ટફોનમાં બેંકિંગ વિગતો, OTP અને વ્યક્તિગત ડેટા હોય છે. જે હેક થતા મહત્વના ડેટાનો દૂરઉપયોગ થાય છે.
એન્ડ્રોઇડ ફોન માટે ખતરનાક
CERT-In અનુસાર નબળાઈની મદદથી Android OS પર કામ કરતા હેન્ડસેટના ફ્રેમવર્ક, સિસ્ટમ, Google Play સિસ્ટમ, MediaTek ઘટકો, Unisoc ઘટકો, Qualcomm ઘટકો વગેરે સાથે ચેડા થઈ શકે છે. યુઝર્સને જાણ વગર તેના એક્સેસ સામે વાળાને મળી જતા મોટા સ્કેમ થઈ શકે છે. આ સ્કેમથી બચવા માટે કંપની દ્વારા સત્તાવાર રીતે સમયાંતરે સિક્યુરિટી અપડેટ કરવાનું હોય છે.. ઘણા વપરાશકર્તાઓ આ અપડેટ્સને બિનજરૂરી માની ઓએસને અપડેટ કરતા નથી. આવું ન કરવું અને સમયાંતરે અપડેટ કરતા રહેવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh