બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Megha
Last Updated: 09:43 AM, 30 October 2023
છેલ્લા ઘણા સમયથી હાર્ટ અટેકના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે અને ખાસ કરીને આપણા ગુજરાતમાં હાર્ટ એટેકના ઘણા કેસો સામે આવી રહ્યા છે. અ બધાને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોવિડ સમયગાળા દરમિયાન જે લોકો સંક્રમિત થયા હતા તેમને જરૂર કરતાં વધુ મહેનત ન કરવાની સલાહ આપી છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ના 'ખેલો ઈન્ડિયા' અને 'ફીટ ઇન્ડિયા'ના વિઝનને રેખાંકિત કરતા #SansadKhelMahotsav2023 અંતર્ગત સરદાર પટેલ રમત સંકુલ, ભાવનગર ખાતે આયોજિત જિલ્લા કક્ષાની સ્પર્ધામાં આજે અંતિમ દિવસે ઉપસ્થિત રહી, ખેલાડીઓના ઉત્સાહને બમણો કર્યો. pic.twitter.com/FCDEaAR29D
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 29, 2023
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના અભ્યાસને ટાંકીને માંડવિયાએ જણાવ્યું હતું કે આવા લોકોએ ઓછામાં ઓછા બે વર્ષ સુધી વર્કઆઉટ કરવાનું અને દોડવાનું ટાળવું જોઈએ. ગુજરાતમાં હાર્ટ એટેકના કેસ સતત સામે આવી રહ્યા છે. યુપીના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગયા અઠવાડિયે તેમની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે સરકારે હાર્ટ એટેકના કેસોનું વિશ્લેષણ કરવું જોઈએ. રાજ્યમાં નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા દરમિયાન હાર્ટ એટેકના કારણે મૃત્યુ પણ નોંધાયા હતા.
આરોગ્ય મંત્રીની સલાહ:
ભાવનગરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું 'ICMRએ વિગતવાર અભ્યાસ કર્યો છે, કોરોનાની ચપેટમાં આવેલ લોકોએ થોડા સમય માટે વધુ મહેનત કરવાનું ટાળવું જોઈએ. જે લોકો અગાઉ ગંભીર કોવિડ -19 સંક્રમિત થયા હતા તેઓએ હાર્ટ એટેકથી બચવા માટે એક કે બે વર્ષ સુધી વધુ પડતી શારીરક કસરત કે કામ ન કરવું જોઈએ.'
#WATCH | Bhavnagar, Gujarat: On heart attack cases during the Garba festival, Union Health Minister Mansukh Mandaviya says, "ICMR has done a detailed study recently. The study says that those who have had severe covid and enough amount of time has not passed, should avoid… pic.twitter.com/qswGbAHevV
— ANI (@ANI) October 30, 2023
નોંધનીય છે કે તાજેતરમાં રાજ્યમાં હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે કેટલાય લોકોના મોત થયા છે, જેમાં નવરાત્રીના તહેવાર દરમિયાન 'ગરબા' રમતા હાર્ટ અટેક આવવાની ઘણી ઘટનાઓનો સમાવેશ થાય છે. આ કેસો પ્રકાશમાં આવ્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 'કાર્ડિયોલોજિસ્ટ' સહિતના તબીબી નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી.
પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ભાવનગર પહોંચ્યા હતા. હાર્ટ એટેકના વધતા જતા કેસ અંગે મીડિયાના પ્રશ્નના જવાબમાં મનસુખ માંડવિયાએ ICMR અભ્યાસનો ઉલ્લેખ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે ICMRનો આ અભ્યાસ તદ્દન વિગતવાર છે. નોંધનીય છે કે ગુજરાતમાં હાર્ટ એટેકના સૌથી વધુ કેસ સૌરાષ્ટ્રમાં નોંધાયા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh