બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dhruv
Last Updated: 03:39 PM, 17 May 2022
એક તરફ રાજ્યમાં કોરોનાના કેસો ઘટવાનું નાંમ નથી લઇ રહ્યાં છે. બીજુ બાજુ રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એમાંય સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યાં છે ત્યારે અમદાવાદમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે પાણીજન્ય રોગચાળો વકર્યો છે.
વર્ષ 2022માં ઝાડા-ઉલટીના 1957 કેસ નોંધાયા
અમદાવાદમાં વધતા જતા તાપમાન વચ્ચે ઝાડા-ઉલટીના કેસમાં વધારો થઇ રહ્યો છે. ચાલુ માસમાં ઝાડા ઉલટીના કેસ ગત માસ કરતા કેસોમાં વધારો છે. મે મહિનામાં ઝાડા ઉલટીના 395 અને કમળાના 48 કેસ નોંધાયા છે. મે મહિનામાં શહેરમાં ટાઈફોડના 111 કેસ નોંધાયા છે. તો વર્ષ 2022માં ઝાડા-ઉલટીના 1957 કેસ નોંધાયા છે. 2022માં કમળાના 534 અને ટાઈફોઈડના 550 કેસ નોંધાયા છે.
મે મહિનામાં 14 દિવસમાં ઝાડા ઉલ્ટીના 395 જેટલાં કેસો નોંધાયા છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી 331 પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતાં. જેમાં સરસપુર, દાણીલીમડા, ગોમતીપુર, કુબેરનગર અને શહેરના કોટ વિસ્તારમાં પાણીના સેમ્પલો અનફિટ આવ્યા છે. નોંધનીય છે કે, ગરમીના કારણે ઝાડા-ઉલટી અને પેટમાં દુઃખાવો સહિતના રોગો થાય છે. ગરમી વધતાં શહેરમાં હજુ પણ પાણીજન્ય રોગોમાં વધારો થાય તો નવાઇ નહીં.
ચાલુ મે મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો
આ અંગ AMCના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું કે, 'શહેરમાં ચાલુ મે મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. જેમાં ઝાડા-ઉલટી અને ટાઇફોઇડના કેસો વધારે છે. ઝાડા-ઉલટીના 395, ટાઇફોઇડના 111 કેસો તો કમળાના 48 નોંધાયા છે. શહેરમાં જ્યાંથી પણ પાણીની ફરિયાદો આવી છે અને ક્લોરિન નીલ આવ્યું છે ત્યાં પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે.'
અમદાવાદમાં ગરમીને કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઉલ્ટીના કેસમાં થયો વધારો. મે મહિનામાં શહેરમાં ટાઈફોડના 111 કેસ નોંધાયા#Ahmedabad @AmdavadAMC
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 17, 2022
ક્લોરિનની ગોળીઓનું વેચાણ થઇ રહ્યું છે
AMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી મે મહિનામાં 796 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 10 જેટલાં સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલો મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપલાઇન સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ ક્લોરિનની ગોળીઓનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh