બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Veravals Axis Bank the employees committed the fraud of crores
Kishor
Last Updated: 06:40 PM, 5 October 2023
વેરાવળમાં આવેલી એક્સિસ બેન્કના કર્મચારીઓએ મોટી છેતરપીંડી આચરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં કર્મચારીઓએ જ બેંકને ચુનો ચોપડતા પોલીસ તંત્ર દોડતું થયું છે. કર્મચારીઓએ બેન્કમાં નકલી સોનું રાખીને ગેરરીતિ આચરી હતી. ગોલ્ડ લોનના બદલામાં બેન્કમાં અસલી સોના જમા કરવામાં આવતું હતું. આ સોના સામે નકલી સોનુ મૂકી દીધું હતું. બાદમાં નવા ઉભા કરાયેલા ગ્રાહકોને લોન આપીને સમગ્ર કૌભાંડ અચરવામાં આવ્યું છે.
લોનના પૈસા બેંક કર્મચારીઓએ વહેંચી લીધા
ભેજાબાજ એક મહિલા અને બે પુરુષ આરોપીઓએ અસલી સોનું કાઢી લઈ નવા ગ્રાહકો ઉભા કર્યા હતા. બાદમાં નવા ગ્રાહકોએ અસલી સોનુ બેન્કમાં મુકી નવી લોન ઉઠાવી લીધી હતી અને આ લોન પેટે આવેલા રૂપિયા કર્મચારીઓ મીલીભગત કરી બાંટી લીધા હતા. આરોપીઓ બેંકમાં જમા અસલી સોનુ કાઢી નકલી સોનુ મુકી દેતા હતા. હાલ બેન્કના મહિલા કર્મચારી સાથે બે પુરુષ કર્મચારી મળી ત્રણની અટકાયત કરી લેવાઈ છે.
બેંક કર્મચારીઓએ બેંકમાં અસલી સોનું કાઢી નકલી સોનું મુકી દીધું
આ સમગ્ર કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વેરાવળ બ્રાન્ચ, રાજકોટ રિજનલ મેનેજરની ફરિયાદ બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ હજુ 8 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. હાલ 426 ગોલ્ડ લોન પૈકી 49 લોનમાં દાગીનામાં હેરાફેરી કરાઇ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અંદાજિત 2 કરોડના 2 કિલો 74 ગ્રામ નકલી સોનું મુકી ગેરરીતિ આચરી હોવાનું ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh