બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / In Narmada, there was an uproar after leaders' haftaraj was exposed, MP Vasava's viral letter made many allegations.
Vishal Khamar
Last Updated: 09:24 PM, 27 March 2023
જો પાયો નબળો હશે તો ઈમારત નબળી જ બનવાની આ સર્વવિદિત વાત છે.. પાયાની આ શીખ કોઈપણ દેશ કે રાજ્યના વિકાસકાર્યોને પણ એટલી જ લાગુ પડે છે.. એક નનામો પત્ર સામે આવ્યો અને ફરી એ વાત ચર્ચાના ચગડોળે ચડી કે નીચેથી ઉપર સુધી હપ્તારાજ જ ચાલે છે જેમાથી કોઈ બાકાત નથી.. આ વખતે આક્ષેપ ગંભીર હતા, સાંસદ મનસુખ વસાવાના નામે વાયરલ થયેલા પત્રમાં સ્પષ્ટ આક્ષેપ હતા કે નર્મદા જિલ્લામાં કેટલાક નેતાઓ છે જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પાસેથી ધાકધમકીથી ખંડણી ઉઘરાવે છે.. જો કે મનસુખ વસાવાએ આ પત્ર પોતાનો નથી એવી સ્પષ્ટતા તો કરી પરંતુ એટલુ ચોક્કસ કહ્યું કે પત્રમાં લખેલા તમામ આક્ષેપ સાચા છે.. સાંસદ કક્ષાની વ્યક્તિ જયારે નેતાઓ સામે જ આક્ષેપ થયા હોય તેને સમર્થન આપે તે ખુદ બહુ મોટી ગંભીર બાબત છે.. સૌથી મોટો સવાલ એ થાય કે વિકાસકાર્યોની ગુણવત્તાના પ્રશ્નો ભ્રષ્ટાચારના કારણે છે કે કેમ, ટેકનોલોજી છે તો લાંચિયાઓને રોકી કેમ નથી શકાતા.
આજની ચર્ચા કેમ?
ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાના નામે પત્ર વાયરલ થયો છે. ત્યારે પત્રમાં મનસુખ વસાવાના નામે ગંભીર આક્ષેપ હતા. આ પત્રમાં નર્મદામાં ભાજપ-કોંગ્રેસના નેતા હપ્તા માંગતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. અધિકારી-કોન્ટ્રાક્ટર પાસે હપ્તા માંગતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. મનસુખ વસાવાએ પત્ર પોતાનો ન હોવાની સ્પષ્ટતા કરી છે. મનસુખ વસાવાએ પત્રમાં થયેલા આક્ષેપને સાચા ગણાવ્યા છે.
મનસુખ વસાવાએ શું કહ્યું?
આ બાબતે મનસુખ વસાવાએ કહ્યું હતું કે, નેતા-અધિકારીના હપ્તારાજનો પ્રશ્ન ચર્ચાતો રહે છે. ઉપર સુધી આવી ફરિયાદના પત્ર લખવામાં આવ્યા છે. જેમાં નર્મદામાં અધિકારી-કોન્ટ્રાક્ટર પાસે ખંડણી ઉઘરાવવામાં આવે છે. અને અધિકારી-કોન્ટ્રાક્ટરને ધાકધમકી આપવામાં આવે છે. વિકાસના કાર્યમાં તપાસ કરાવવા લાંચ માંગવામાં આવે છે. કામ પૂર્ણ થયા બાદ પણ તોડબાજી કરવામાં આવે છે. જેનાથી જિલ્લાના અધિકારી-કોન્ટ્રાક્ટર ત્રાસી ગયા છે. નેતા ખંડણી ઉઘરાવતા રહેશે તો સરકારના રૂપિયાનો દુરુપયોગ થશે. જનતાના જે કામ થવા જોઈએ તે નહીં થાય. ત્યારે જિલ્લા સંકલનની બેઠકમાં મેં તમામ બાબતનું ધ્યાન દોર્યું છે. અધિકારીઓ-કોન્ટ્રાક્ટરો ગુણવત્તાયુક્ત કામ કરે તો કટકી બંધ થઈ જાય. સરકારની ગ્રાન્ટનો પણ સંપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. કેટલાક નેતા ગેરમાર્ગે દોરવા હપ્તા માંગીને પછી તપાસ કરાવે છે.
નનામા પત્રમાં કોના નામ છે?
આ વાયરલ થયેલ પત્રમાં ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મોતી વસાવા, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રયોશા વસાવા, ધારાસભ્ય દર્સન દેશમુખના નાનાભાઈ રવિ દેશમુખ તેમજ કોર્પોરેટર વિરૂભાઈ દરબારનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh