બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
MayurN
Last Updated: 02:33 PM, 29 July 2022
તનુશ્રી દત્તાએ ફરી એક વાર એક લાંબી મોટી પોસ્ટ શેર કરીને બોલિવુડમાં હલચલ મચાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખીને તેણે ફરી પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. આશિક બનાયા આપને અભિનેત્રીએ આજે સવારે એક પોસ્ટ શેર કરી હતી અને નાના પાટેકર અને બોલિવૂડ માફિયાઓ પર તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ તેણે ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકો અને પત્રકારો પર પણ આરોપ લગાવ્યો છે કે તે પોતાના પર ફેક ન્યૂઝ ચલાવે છે. તનુશ્રીએ ફરી કહ્યું કે ઘણા લોકો તેને નિશાન બનાવી રહ્યા છે અને તે હેરેસ થઈ રહી છે. તેણે એક પોસ્ટમાં પોતાના મનની વાત કહી અને કહ્યું કે જો તેને કંઈ પણ થશે તો તેની જવાબદારી માત્ર અને માત્ર નાના પાટેકર અને બોલિવૂડ માફિયાઓની રહેશે.
મને કંઈ થયું તો નાના પાટેકર જવાબદાર
તનુશ્રીએ પોતાના ફોટો સાથે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું- "જો મને ક્યારેય કંઈ પણ થાય તો હું તમને જણાવી દઉં કે #metoo આરોપી નાના પાટેકર, તેના વકીલ, તેના સહયોગીઓ અને તેના બોલિવૂડ માફિયા મિત્રો જવાબદાર છે! બોલિવૂડના માફિયાઓ કોણ છે? એ જ લોકો જેમના નામ સુશાંત સિંહના મૃત્યુના કિસ્સામાં વારંવાર સામે આવ્યા છે."
ફેક ન્યૂઝ ફેલાવનારા પત્રકારો પર પણ નિશાન સાધ્યું
તેણે આગળ જણાવ્યું કે "તેમની ફિલ્મો ન જુઓ, તેમનો સંપૂર્ણ બહિષ્કાર કરો." પોતાની પોસ્ટમાં તનુશ્રીએ પોતાના અને તેના પીઆર વિશે ફેક ન્યૂઝ ફેલાવતા પત્રકારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ પણ તેમની સાથે આ અભિયાનમાં જોડાયેલા છે.
મને દેશના લોકો પર વિશ્વાસ
તનુશ્રી દત્તાએ છેલ્લે લખ્યું- 'બધા તેમની પાછળ પડી જાઓ!! તેમના જીવનને નરક બનાવો કારણ કે તેઓએ મને ખૂબ ત્રાસ આપ્યો! કાયદો અને ન્યાયે ભલે મને નિષ્ફળ બનાવી છે, પરંતુ મને આ મહાન રાષ્ટ્રના લોકોમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. " જય હિન્દ... અને આવજો! ફરી મળીશુ...
નાના પાટેકર પર લગાવ્યો હતો MeTooનો આરોપ
તમને જણાવી દઈએ કે તનુશ્રી દત્તા 2018માં ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે એક્ટર નાના પાટેકર પર મીટૂનો આરોપ લગાવ્યો હતો. નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લાગ્યા બાદ બધા ચોંકી ગયા હતા. તનુશ્રીના જણાવ્યા અનુસાર, વર્ષ 2009માં ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના સેટ પર નાના પાટેકરે આ ગીતના શૂટિંગ દરમિયાન તેની ખૂબ જ નજીક જવાની કોશિશ કરી હતી. તનુશ્રી દત્તા છેલ્લે 2010 માં મૂવી એપાર્ટમેન્ટમાં સિલ્વર સ્ક્રીન પર જોવા મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh