બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / I went to the temple and asked God to join the BJP...?: Congress leader

ગોવા / મેં મંદિરમાં જઈ ભગવાનને પૂછ્યું કે ભાજપ જોઇન કરી લઉં...?: કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતાનું નિવેદન

Priyakant

Last Updated: 03:07 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિનાઓ પહેલા ભગવાનના નામે શપથ લીધી કે કોંગ્રેસ નહીં છોડીએ, પછી ભાજપમાં જોડાઈ ગયા

  • ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે કહ્યું ભગવાનને પૂછીને ભાજપમાં જોડાયા 
  • અગાઉ આ જ કોંગ્રેસ નેતાઓએ શપથ લીધી હતી કે, કોંગ્રેસ નહીં છોડીએ
  • ગોવામાં 7 મહિનામાં કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્યો બુધવારે સત્તાધારી ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ માટે આ એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. 40 સભ્યોની ગોવા વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને ત્રણ થઈ ગયું છે. ભાજપમાં જોડાયેલા નેતાઓમાં હાલ વિપક્ષના નેતા માઈકલ લોબોનો પણ સમાવેશ થાય છે. હવે દિગંબર કામતે ભાજપમાં શા માટે જોડાયા તેનું કારણ જાહેર કર્યું છે. તેમના કહેવા મુજબ તેઓ ભગવાનને પૂછીને ભાજપમાં જોડાયા છે.. 

સમાચાર એજન્સી ANI દ્વારા જારી કરાયેલા વીડિયોમાં કામતે કહ્યું, "હું મંદિરમાં ગયો અને દેવતાઓને પૂછ્યું કે આ (ભાજપમાં જોડાવું) મારા મગજમાં ચાલી રહ્યું છે. મારે શું કરવું જોઈએ... ભગવાને કહ્યું, આગળ વધો અને ચિંતા ન કરો.''

જોકે  હાલ મહત્વની અને રસપ્રદ વાત તો એ છે કે, ચૂંટણી પહેલા ગોવાના કોંગ્રેસના નેતાઓએ મંદિરો, મસ્જિદો અને ચર્ચોમાં પાર્ટીને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. પરંતુ 7 મહિનામાં કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા. હવે ભાજપમાં જોડાવા અંગે દિગંબર કામતે કહ્યું છે કે, ભાજપમાં જોડાતા પહેલા તેમણે ભગવાનને પૂછ્યું હતું અને તેમણે હા પાડી છે.

ગોવાના પૂર્વ સીએમએ કહ્યું કે, તેઓ ભગવાનમાં માને છે અને એ વાત પણ સાચી છે કે તેમણે ચૂંટણી પહેલા કોંગ્રેસ ન છોડવાના શપથ લીધા હતા. વર્ષ 2019માં પણ કોંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટી બદલી હતી. આ કારણથી ગોવાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.

ગોવા વિધાનસભામાં હવે વિપક્ષ કોણ ? 

ગોવા વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ત્રણ થઈ ગયા બાદ હવે કોઈપણ રાજકીય પક્ષ પાસે વિપક્ષના પદ પર દાવો કરવા લાયક ધારાસભ્યો નથી. વિધાનસભા અધ્યક્ષ રમેશ તવકરે કહ્યું કે, તેમણે કોંગ્રેસ ધારાસભ્ય દળને ભાજપમાં વિલય કરવાના કોંગ્રેસના ધારાસભ્યોના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.  40 સભ્યોની ગોવા વિધાનસભામાં વિપક્ષના નેતાના પદ માટે પાર્ટી પાસે ઓછામાં ઓછા ચાર ધારાસભ્યો હોવા જરૂરી છે. આમ આદમી પાર્ટી પાસે બે ધારાસભ્યો છે જ્યારે ગોવા ફોરવર્ડ પાર્ટી અને રિવોલ્યુશનરી ગોવા પાર્ટી પાસે એક-એક ધારાસભ્ય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ