બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Politics / I never invited him or met him: Former Vice President Hamid Ansari on row over Pakistani journalist Nusrat Mirza
Hiralal
Last Updated: 07:01 PM, 13 July 2022
પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાના દાવાથી ભારતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે વિવાદ વધ્યા બાદ ખુદ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ સ્પષ્ટતા કરી છે. હામિદ અન્સારીએ કહ્યું છે કે મેં તેમને ન તો બોલાવ્યા છે કે ન તો તેમને મળ્યા છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે આજે અને કાલે મીડિયાના એક વર્ગમાં મારી વિરુદ્ધ જૂઠની પોટલી ચલાવવામાં આવી રહી છે. જેમાં ભાજપના સત્તાવાર પ્રવક્તાનો પણ સમાવેશ થાય છે.
Ex-VP & Congress leader Hamid Ansari issues a statement regarding Pak journalist Nusrat Mirza.
— ANI (@ANI) July 13, 2022
"...falsehood unleashed on me in sec of media&by official spox of BJP...known fact that invitation to foreign dignitaries by VP of India is on advice of Govt generally through MEA..." pic.twitter.com/BMX1Ft50IF
સરકાર વિદેશી મહેમાનોને આમંત્રણ આપતી હોય છે- અંસારી
હામિદ અન્સારીએ કહ્યું કે આ નિવેદનોમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેં પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાને આમંત્રણ આપ્યું છે. પોતાની સ્પષ્ટતામાં તેમણે કહ્યું કે, આ એક જાણીતી હકીકત છે કે ઉપરાષ્ટ્રપતિ દ્વારા વિદેશી મહેમાનોને આમંત્રિત કરવાની પ્રક્રિયા સરકારની સલાહ પર કરવામાં આવે છે અને તેમાં મુખ્યત્વે વિદેશ મંત્રાલય સામેલ હોય છે. "મેં આ વ્યક્તિને ક્યારેય આમંત્રણ આપ્યું નથી કે હું ક્યારેય તેને મળ્યો નથી.
Ansari rejects claim he invited Pakistani journalist, says it's a known fact invitation to foreign dignitaries by VP are on advice of govt
— Press Trust of India (@PTI_News) July 13, 2022
શું કહ્યું હતું પાકિસ્તાની પત્રકાર મિર્ઝાએ
પાકિસ્તાની જાસૂસી પત્રકાર નુસરત મિર્ઝાએ એવો દાવો કર્યો હતો કે ઉપરાષ્ટ્રપતિ તરીકે હામીદ અંસારીએ તેમને દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું હતું.
ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ આક્ષેપો કર્યા હતા
બુધવારે ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ પત્રકાર પરિષદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની પત્રકાર નુસરત મિર્ઝાએ પોતે ખુલાસો કર્યો છે કે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી તેમને 2005થી 2011 વચ્ચે પાંચ વખત ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ભાટીયાએ આગળ કહ્યું કે નુસરત મિર્ઝા ઇન્ટરવ્યૂમાં કહે છે કે જ્યારે હું ભારતના પ્રવાસે હતો ત્યારે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ અંસારીએ મને મળવા બોલાવ્યો હતો. અમારી વાતચીતમાં જે માહિતી શેર કરવામાં આવી છે તે ખૂબ જ સંવેદનશીલ અને ગોપનીય હતી. પાકિસ્તાની પત્રકારનું કહેવું છે કે અત્યંત સંવેદનશીલ અને ગોપનીય માહિતી એક વાર નહીં પરંતુ પાંચ વખત શેર કરવામાં આવી હતી. ગૌરવ ભાટિયાનો આરોપ છે કે તેમણે આ માહિતી હામિદ અંસારી પાસેથી લીધી હતી અને આ માહિતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન પત્રકારનો ઇન્ટરવ્યૂ જણાવી રહ્યો છે કે, ભારતને નબળું પાડવા માટે આઈએસઆઈ, જે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા છે, તેની સાથે શેર કરવામાં આવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir