બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / બોલિવૂડ / I apologize to all the devotees of Shriram Film Adipurush Dialogue Writer Manoj Muntashir finally apologized
Megha
Last Updated: 09:46 AM, 8 July 2023
પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'ના ડાયલોગ્સ લખનાર રાઈટર મનોજ મુંતશિર હવે પોતાનો સૂર બદલતા જોવા મળી રહ્યો છે. ફિલ્મને લઈને થતાં વિવાદોમાં અત્યાર સુધી પોતાના બચાવમાં નિવેદન આપનાર મનોજે હવે હાથ જોડીને માફી માંગી છે. જણાવી દઈએ કે હાલ જ મનોજ મુંતશિરે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ શેર કર્યું છે જેમાં એમને ભાઈઓ-બહેનો, વડીલો, આદરણીય ઋષિ-સંતો અને શ્રી રામના ભક્તોની બિનશરતી માફી માંગી છે. આ સાથે જ તેને સ્વીકાર્યું હતું કે આ ફિલ્મથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
જુઓ મનોજ મુંતશિરનું ટ્વિટ
મનોજ મુંતશિરે પોતાના નવા ટ્વીટમાં લખ્યું છે કે, 'હું સ્વીકારું છું કે ફિલ્મ 'આદિપુરુષ' દ્વારા જનતાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મારા તમામ ભાઈઓ અને બહેનો, વડીલો, આદરણીય ઋષિઓ અને શ્રી રામના ભક્તોની હું હાથ જોડીને બિનશરતી માફી માંગુ છું. ભગવાન બજરંગ બલી આપણા બધાને આશીર્વાદ આપે, આપણને એક અને અતૂટ રહેવાની અને આપણા પવિત્ર સનાતન અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે!'
मैं स्वीकार करता हूँ कि फ़िल्म आदिपुरुष से जन भावनायें आहत हुईं हैं.
— Manoj Muntashir Shukla (@manojmuntashir) July 8, 2023
अपने सभी भाइयों-बहनों, बड़ों, पूज्य साधु-संतों और श्री राम के भक्तों से, मैं हाथ जोड़ कर, बिना शर्त क्षमा माँगता हूँ.
भगवान बजरंग बली हम सब पर कृपा करें, हमें एक और अटूट रहकर अपने पवित्र सनातन और महान देश की…
યુઝર્સે કઈંક આવી આપી પ્રતિક્રિયા
મનોજ મુંતશિરે માફી માગતાની સાથે જ આ ટ્વિટ વાયરલ થઈ ગયું. તેમના આ ટ્વીટ પર યુઝર્સ ફુલ રિએક્શન આપી રહ્યા છે. એકે લખ્યું, 'સંવાદ લખતા પહેલા વિચારવું જોઈતું હતું' બીજાએ લખ્યું, 'તમે તકવાદી છો.' અન્ય લોકોએ લખીને પ્રતિક્રિયા આપી, 'તમે અમારી ક્ષમાને લાયક નથી.'
ભગવાન હનુમાન વિશે આપવામાં આવ્યું વિવાદાસ્પદ નિવેદન
આ પહેલા મનોજ મુંતશિરે તેની મુસીબત વધારી દીધી હતી જ્યારે તેણે કહ્યું હતું કે 'હનુમાનજી ભગવાન નથી, પરંતુ રામના ભક્ત છે અને આપણે એમની ભક્તિને કારણે ભગવાન બનાવ્યા છે' આ પછી તે લોકોના નિશાના પર આવી ગયો હતો. બાદમાં તેણે કહ્યું હતું કે તેનો જીવ જોખમમાં છે તેથી તેને પણ સુરક્ષા મળી છે.
ફિલ્મ 'આદિપુરુષ'ના 'છપરી' સંવાદો
આદિપુરુષના સંવાદ પર ભારે હોબાળો થયો. લોકો ખાસ કરીને હનુમાનજીના પાત્ર દ્વારા બોલવામાં આવેલા સંવાદોને લઈને ગુસ્સે હતા. ફિલ્મમાં તે કહેતો જોવા મળ્યો હતો, 'તેલ તેરે બાપ કા, કપડા તેરે બાપ કા, જલેગી ભી તેરે બાપ કી'. હંગામા પછી મેકર્સે કેટલાક ડાયલોગ્સ બદલ્યા હતા. ઉદાહરણ તરીકે, આ સંવાદમાં 'બાપ'ને બદલે 'લંકા' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh