બ્રેકિંગ ન્યુઝ
VTV / How will the last round of monsoon be in Gujarat?
Last Updated: 10:09 PM, 26 September 2023
ADVERTISEMENT
હવે વાત કરીએ રાજ્યમાં હવામાનની સ્થિતિની. ગુજરાતમાં હવે ચોમાસુ તેના અંતિમ તબક્કામાં છે, મોટેભાગે છૂટાછવાયા વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તો વરસાદની શક્યતા નહીંવત દર્શાવાઈ રહી છે. ભારતમાં નૈઋત્યના ચોમાસાની વિદાય મોટેભાગે રાજસ્થાન તરફથી થાય છે અને ક્રમિક રીતે આ વિદાયની પ્રક્રિયા ગુજરાત તરફ આગળ વધે છે. આગાહીકારોનું માનીએ તો ગુજરાતમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય 9 ઓક્ટોબર સુધીમાં થઈ જશે.
ADVERTISEMENT
હાલ વધુ વરસાદની શક્યતા નથી જોવાઈ રહી ત્યારે ખેડૂતો માટે એવી આશા રાખી શકાય કે ખેડૂતોના ખરીફ પાકને અગાઉ પહોંચેલું નુકસાન હવે વધારે નહીં થાય. બીજી તરફ 9 ઓક્ટોબર પછી પણ જો રાજ્યમાં વરસાદ યથાવત રહે તો ખરીફ પાકને નુકસાન થઈ શકે છે પણ બીજી તરફ રવિ પાકને ફાયદો થઈ શકે છે. રાજ્યમાં હવે પછી વરસાદ અને હવામાનની સ્થિતિ કેવી રહેશે. રાજ્યમાં વાવાઝોડાની શક્યતાની જે વાતો થઈ રહી છે તેમા સત્ય શું છે, ખેડૂતોએ હવે શું ધ્યાન રાખવાનું છે.
રાજ્યમાં હવે વરસાદની સ્થિતિ કેવી રહેશે?
ગુજરાતમાં ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ચોમાસુ વિદાય લેશે. આગામી 4 દિવસ સામાન્ય વરસાદ પડી શકે છે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા નહીંવત.
ક્યાં પડી શકે છે વરસાદ?
મહીસાગર |
અરવલ્લી |
દાહોદ |
છોટાઉદેપુર |
વડોદરા |
પંચમહાલ |
ભરૂચ |
સુરત |
ડાંગ |
વલસાડ |
નવસારી |
રાજ્યમાં વાવાઝોડાની શક્યતા છે?
ખેડૂતોના પાકને શું અસર થશે?
ગુજરાતમાં હાલ 9 ઓક્ટોબર સુધી ચોમાસાની વિદાયની પ્રક્રિયા ચાલશે. 9 ઓક્ટોબર પછી પણ વરસાદ ચાલુ રહે તો ખરીફ પાકને નુકસાન થઈ શકે છે. મગફળી, કપાસ, અડદ, મગ, સોયાબીન જેવા પાકને નુકસાન થઈ શકે છે. તો બીજી તરફ 9 ઓક્ટોબર પછી વરસાદ આવે તો રવિ પાકને ફાયદો થઈ શકે છે. જે વિસ્તારમાં પાણી ઓછું પહોંચે છે તે વિસ્તારમાં પાકને પાણી મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.