બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / How will the last round of monsoon be in Gujarat?
Vishal Khamar
Last Updated: 10:09 PM, 26 September 2023
હવે વાત કરીએ રાજ્યમાં હવામાનની સ્થિતિની. ગુજરાતમાં હવે ચોમાસુ તેના અંતિમ તબક્કામાં છે, મોટેભાગે છૂટાછવાયા વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તો વરસાદની શક્યતા નહીંવત દર્શાવાઈ રહી છે. ભારતમાં નૈઋત્યના ચોમાસાની વિદાય મોટેભાગે રાજસ્થાન તરફથી થાય છે અને ક્રમિક રીતે આ વિદાયની પ્રક્રિયા ગુજરાત તરફ આગળ વધે છે. આગાહીકારોનું માનીએ તો ગુજરાતમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય 9 ઓક્ટોબર સુધીમાં થઈ જશે.
હાલ વધુ વરસાદની શક્યતા નથી જોવાઈ રહી ત્યારે ખેડૂતો માટે એવી આશા રાખી શકાય કે ખેડૂતોના ખરીફ પાકને અગાઉ પહોંચેલું નુકસાન હવે વધારે નહીં થાય. બીજી તરફ 9 ઓક્ટોબર પછી પણ જો રાજ્યમાં વરસાદ યથાવત રહે તો ખરીફ પાકને નુકસાન થઈ શકે છે પણ બીજી તરફ રવિ પાકને ફાયદો થઈ શકે છે. રાજ્યમાં હવે પછી વરસાદ અને હવામાનની સ્થિતિ કેવી રહેશે. રાજ્યમાં વાવાઝોડાની શક્યતાની જે વાતો થઈ રહી છે તેમા સત્ય શું છે, ખેડૂતોએ હવે શું ધ્યાન રાખવાનું છે.
રાજ્યમાં હવે વરસાદની સ્થિતિ કેવી રહેશે?
ગુજરાતમાં ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ચોમાસુ વિદાય લેશે. આગામી 4 દિવસ સામાન્ય વરસાદ પડી શકે છે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા નહીંવત.
ક્યાં પડી શકે છે વરસાદ?
મહીસાગર |
અરવલ્લી |
દાહોદ |
છોટાઉદેપુર |
વડોદરા |
પંચમહાલ |
ભરૂચ |
સુરત |
ડાંગ |
વલસાડ |
નવસારી |
રાજ્યમાં વાવાઝોડાની શક્યતા છે?
ખેડૂતોના પાકને શું અસર થશે?
ગુજરાતમાં હાલ 9 ઓક્ટોબર સુધી ચોમાસાની વિદાયની પ્રક્રિયા ચાલશે. 9 ઓક્ટોબર પછી પણ વરસાદ ચાલુ રહે તો ખરીફ પાકને નુકસાન થઈ શકે છે. મગફળી, કપાસ, અડદ, મગ, સોયાબીન જેવા પાકને નુકસાન થઈ શકે છે. તો બીજી તરફ 9 ઓક્ટોબર પછી વરસાદ આવે તો રવિ પાકને ફાયદો થઈ શકે છે. જે વિસ્તારમાં પાણી ઓછું પહોંચે છે તે વિસ્તારમાં પાકને પાણી મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh