બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 04:29 PM, 13 September 2023
Hangover Home Remedies: પાર્ટીઓમાં મજા માણવા લોકો ડ્રિંક્સ પીવે છે પરંતુ હેંગઓવરને કારણે પરેશાન થઈ જાય છે. પાર્ટીમાં વધારે પીવાથી હેંગઓવર થાય છે. પાર્ટીની મજાની સજા બીજા દિવસે હેંગઓવર સાથે મળે છે. વધુ પડતું ડ્રિંક કરવાથી માથાનો દુખાવો, આંખોમાં લાલાશ, બીપી વધે છે અને ધ્રુજારીથી પરેશાની આવે છે. આવો એવી ડ્રિંક્સ પછી હેંગઓવરથી બચવાના ઘરેલુ ઉપાયો વિશે જાણીએ...
હેંગઓવર દૂર કરવા માટે ફોલો કરો આ ટિપ્સ
લીંબુ
હેંગઓવરથી છુટકારો મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે હુંફાળા પાણીમાં અડધા લીંબુનો રસ ભેળવીને પીવો. રાત્રે સૂતા પહેલા તેને પીવો. આ ઉપાય કરવાથી તમને માથાનો દુખાવો, ઉલ્ટી અને ગભરામણમાં રાહત મળશે. હેંગઓવરથી છુટકારો મેળવવા માટે તમે કોઈપણ ખાટા ફળ પણ ખાઈ શકો છો.
આદુ
આલ્કોહોલ વધુ પીધા બાદ ઉલ્ટીની સમસ્યા થવા લાગે છે. તેનાથી બચવા માટે થોડુ આદુ ઘસીને એક ચમચી મધમાં મિક્સ કરીને ખાવાથી નશો ઓછો કરવામાં મદદ મળે છે. આદુના સેવનથી હેંગઓવર પણ દૂર થાય છે, તેમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે જે ઉલ્ટીથી રાહત અપાવવામાં મદદ કરે છે.
નારિયેળ પાણી
આલ્કોહોલ પીવાથી શરીર ડીહાઇડ્રેટ થાય છે. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. આવી સ્થિતિમાં નારિયેળ પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને શરીરને જરૂરી પોષક તત્વો પણ મળે છે. નારિયેળ પાણી પીવાથી પેટમાં ઉત્પન્ન થતા એસિડ શાંત થાય છે. તે નશામાંથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે.
કેળા
કેળા ખાવાથી હેંગઓવર અને આલ્કોહોલનો નશો પણ ઓછો થઈ શકે છે. કેળામાં ઘણા પોષક તત્વો હોય છે. આલ્કોહોલ પીધા પછી શરીરમાંથી જે પોષક તત્વો નીકળી જાય છે તે કેળા ખાવાથી તેની પૂર્તિ થઇ જાય છે. કેળામાં કાર્બોહાઈડ્રેટના ગુણ પણ હોય છે જે શરીર માટે સારા હોય છે.
દહીં
હેંગઓવર અને નશો દૂર કરવા માટે પણ દહીં ખાવું સારું છે. દહીં ખાવાથી શરીરમાં બેક્ટેરિયાનો સંચાર થાય છે જેના કારણે દારૂ પીવાથી લાવેલા ખરાબ બેક્ટેરિયાની જગ્યાએ સારા બેક્ટેરિયા આવે છે. હેંગઓવરથી છુટકારો મેળવવા માટે તાજુ દહીં ખાવું જોઈએ. દહીંમાં ખાંડ ઉમેરીને ન ખાઓ.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh