બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Hiralal
Last Updated: 04:52 PM, 31 January 2024
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની પાસે આવેલી જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસના ભોંયરામાં હિંદુ પક્ષને પૂજા કરવાની કોર્ટ દ્વારા પરમિશન આપી દેવાઈ છે. એક રીતે જ્ઞાનવાપીમાં હિંદુઓનો પગપેસારો થયો છે એટલે હવે 1993 બાદ જ્ઞાનવાપીના ભોંયરામાં હિંદુઓ પૂજા કરી શકશે આ દરમિયાન ભારતીય પુરાતત્વ વિભાગનો દાવો છે કે મંદિર તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવાઈ હતી.
#WATCH | UP | Gyanvapi case | Advocate Vishnu Shankar Jain, representing the Hindu side says, "We will file a caveat in the Allahabad HC..." pic.twitter.com/qcOKtYWj4B
— ANI (@ANI) January 31, 2024
શું બોલ્યાં વકીલ વિષ્ણુ શંકર
જ્ઞાનવાપી મામલે હિંદુ કેસ લડી રહેલા વકીલ વિષ્ણુ શંકરે એવું કહ્યું કે તેઓ હવે અલ્હાબાદ હાઈકોર્ટે કેવિએટ પીટિશન દાખલ કરશે. હિંદુ પક્ષોનો દાવો છે કે ભોંયરામાં શિંવલિંગ છે જે શિવનું મંદિર હોવાની સાબિતી આપે છે.
UP | Gyanvapi case | Hindu side allowed to offer prayers at 'Vyas Ka Tekhana'. The District Administration will have to make arrangements within 7 days: Advocate Vishnu Shankar Jain pic.twitter.com/k9EiqGAwVt
— ANI (@ANI) January 31, 2024
1993 સુધી ભોંયરામાં થઈ હતી પૂજા
સોમનાથ વ્યાસનો પરિવાર 1993 સુધી ભોંયરામાં નિયમિત પૂજા-અર્ચના કરતો હતો. વ્યાસના પૌત્ર શૈલેન્દ્ર વ્યાસે પુન: પૂજા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે અરજી દાખલ કરીને કહ્યું કે 1993થી ભોંયરામાં પૂજા-અર્ચના બંધ થઇ ગઇ છે. હાલ આ ભોંયરું અંજુમન ઈન્તેજામિયા મસાજીદ સમિતી પાસે છે. ભોંયરું ડીએમની દેખરેખને સોંપવામાં આવ્યું હોવાથી, ત્યાં ફરીથી પૂજા શરૂ કરવાની મંજૂરી આપવી જોઈએ. કોર્ટે 17 જાન્યુઆરીએ ડીએમને ભોંયરાનો કબજો લેવાનો આદેશ આપ્યો હતો. આ પછી, 24 જાન્યુઆરીએ, ડીએમ દ્વારા ભોંયરું લેવામાં આવ્યું હતું.
BREAKING: The Varanasi court allowed the Hindus to offer prayers at sealed basement, 'Vyas Ka Tekhana', of Gyanvapi complex.
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 31, 2024
Advocate Vishnu Shankar Jain, representing the Hindu side said that the "puja" will start within 7 days. pic.twitter.com/chqphMHnie
ASIના સર્વેમાં શું?
જ્ઞાનવાપી મસ્જિદનો ASI રિપોર્ટ જાહેર કરી દેવાયો છે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકરે એવો દાવો કર્યો છે કે એએઆઈ રિપોર્ટમાં કહેવાયું છે કે અહીં એક ભવ્ય હિંદુ મંદિર હતું. જ્ઞાનવાપીની પશ્ચિમી દિવાલ એક હિન્દુ મંદિરનો ભાગ છે. અંદરના થાંભલાઓ પણ હિન્દુ મંદિરના સ્તંભો હતા જે પાછળથી પ્લાસ્ટર કરીને બદલી નાખવામાં આવ્યાં હતા. 839 પાનાના આ રિપોર્ટમાં વજુખાના સિવાય દરેક ખૂણાની એક જ વિગત છે. એએસઆઈના અહેવાલ મુજબ, હાલનું માળખું બાંધવામાં આવ્યું તે પહેલાં અહીં એક વિશાળ હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું. આ મંદિરમાં એક મોટો મધ્ય ખંડ અને ઉત્તર તરફ એક નાનો ખંડ હતો. 17મી સદીમાં આ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને પાછળથી તેનો પોતાનો ભાગ મસ્જિદમાં સમાઈ ગયો છે. હાલની રચનામાં ઉપયોગમાં લેવાતા થાંભલાઓ અને પ્લાસ્ટરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. વિષ્ણુ જૈને જણાવ્યું કે, એએસઆઇએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે મસ્જિદનું નિર્માણ 1669માં મંદિર તોડીને કરવામાં આવ્યું હતું. હાલનું માળખું મંદિરના અવશેષો પર જ બનાવવામાં આવ્યું છે. ગુંબજ માત્ર સાડા ત્રણસો વર્ષ જૂનો છે. ઘણી જગ્યાએ મંદિરના અવશેષો મળી આવ્યા છે. ઘણા સ્તંભો પર દેવી-દેવતાઓની છબીઓ મળી આવી છે. દેવનાગરી અને સંસ્કૃતમાં અનેક શ્લોકો લખાયા છે. નાગર શૈલીની પણ ચીજો મળી છે જે હજાર વર્ષ જુની છે જ્યારે મસ્જિદ માત્ર સાડા ત્રણસો વર્ષ જૂની છે.
Vishnu Shankar Jain
— Curly Jeevi (@curlykrazy07) January 31, 2024
Naam yaad rakhna 🙏🙏
Hindu side gets to worship at the #Gyanvapi
Big news. January is turning out to be so good 🥳🥳pic.twitter.com/TThbrsUvR1
નંદીનું મોં જ્ઞાનવાપી મસ્જિદની સામે કેમ?
કાશી વિશ્વનાથ મંદિરમાં બિરાજમાન નંદીનું મોં બરાબર જ્ઞાનવાપી મસ્જિદ સામે છે. મંદિર અને મસ્જિદની વચ્ચે લોખંડની ગ્રીલ છે. એવો દાવો કરવામાં આવે છે કે જ્ઞાનવાપીમાં શિવલિંગથી નંદીનું અંતર 83 ફૂટ છે. એટલે જ હિન્દુ પક્ષ કહે છે કે વજુખાનામાં માત્ર શિવલિંગ છે, જ્યારે હિન્દુ પક્ષના વકીલોનું કહેવું છે કે જો એ શિવલિંગ નથી તો પછી નંદીનું મોં મસ્જિદ સામે કેમ છે.
1664માં ઔરંગઝેબે 1664માં મંદિર તોડીને જ્ઞાનવાપી બનાવી
કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ લગભગ 2050 વર્ષ પહેલા મહારાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું, પરંતુ મુઘલ સમ્રાટ ઔરંગઝેબે 1664માં મંદિર તોડી નખાવ્યું હતું. દાવામાં કહેવાયું છે કે મસ્જિદનું નિર્માણ મંદિરને તોડીને તેની ભૂમિ પર કરાયુ છે જે હવે જ્ઞાનવાપી મસ્જિદના નામે ઓળખાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir