બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / health news thayroid treatment and home remedies

આરોગ્ય ટિપ્સ / થાઇરોઇડથી મેળવવો છે છૂટકારો? તો આજથી જ ફૉલો કરો આ આયુર્વેદિક ટીપ્સ, જલ્દી મળશે છૂટકારો

Arohi

Last Updated: 01:55 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Thyroid Treatment: આજના સમયમાં મહિલાઓમાં થાઈરોઈડની બીમારી ખૂબ જ વધી રહી છે. ભોજનની ખોટી આદતોના કારણે આ બિમારી ઝડપથી વધી રહી છે. હવે 30 વર્ષની ઉંમરની મહિલાઓને પણ થાઈરોઈડના કેસ આવી રહ્યા છે.

  • મહિલાઓમાં વધી રહી છે થાઈરોઈડની બીમારી 
  • 30 વર્ષની ઉંમરની મહિલાઓ પણ થઈ રહી છે શિકાર 
  • આયુર્વેદના આ ટિપ્સને જરૂરથી કરો ફોલો 

મહિલાઓમાં જે બીમારીઓ ઝડપથી વધી રહી છે તેમાં થાઈરોઈડ પણ એક ગંભીર સમસ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર છેલ્લા 10 વર્ષોથી દુનિયાભરમાં આ બીમારીના કેસ ઝડપથી વધી રહ્યા છે. 30 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં પણ આ બીમારી જોવા મળી રહી છે. 

ડોક્ટર્સનું કહેવું છે કે ખરાબ ભોજનના કારણે અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે આમ થઈ રહ્યું છે. શરીરમાં હાજર થાઈરોઈડ ગ્લેડના ફેક્શનમાં આવેલી કમીના કારણે થાયરોયડની બીમારી થઈ રહી છે. થાઈરોઈડથી પીડિત મહિલાઓને કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને શું આયુર્વેદમાં તેની સારવાર છે? આવો જાણીએ. 

એલોવેરા 
મહિલાઓને એલોવેરાનું સેવન કરવું જોઈએ. ફ્રેશ એલોવેરા ખાવાથી થાઈરોઈડની સમસ્યા કંટ્રોલમાં રહે છે. આ વાત અને કફ બન્નેને સંતુલિત કરે છે. તેનાથી શરીરમાં થાઈરોઈડની બીમારીને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. 

કોથમિર 
કોથમિર પણ થાઈરોઈડને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદ કરે છે. કોથમિરની સાથે જીરૂ પણ લેવું જોઈએ. તેના માટે તમે કોથમિર અને જીરાને રાત્રે પાણીમાં પલાડીને મુકી દો. સવારે આ પાણીને ગાળીને ખાલી પેટે પી લો. તેનાથી થાઈરોઈડની બીમારી કંટ્રોલમાં રહેશે. 

રોજ સવારે ચાલો 
રોજ સવારે ચાલવાથી તમારા શરીરમાં ઓક્સીજનનું સંચાર સારૂ થાય છે. તેનાથી થાઈરોઈડને કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. તમારે રોજ સવારે લગભગ 15થી 20 મિનિટ સુધી ચાલવું જોઈએ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 

કપાલભાતિ 
કપાલભાતિ કરવાથી શરીરને ફાયદો થાય છે. આ પ્રાણાયામ તમે સવારે સાંજના સમયે કરી શકો છો. કપાલભાતિથી થાયરોયડ હોર્મોનનું ફંક્શન ઠીક રહે છે. રોજ ફક્ત 10થી 15 મિનિટ કપાલભાતિ કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ