બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Arohi
Last Updated: 11:05 AM, 30 June 2023
ડાયાબિટીસ જેવી બિમારી છે જો કોઈ વ્યક્તિને પોતાના શકંજામાં લઈ લે તો પછી મર્યા બાદ જ પીછો છોડે છે. ડાયાબિટીસની બિમારીને લઈને મોટાભાગે એવી વાત કહેવામાં આવે છે કે આ વ્યક્તિને ધીરે ધીરે અંદરથી પોલું કરી નાખે છે. આજે વાત કરીશું ડાયાબિટીસના દર્દીઓના પગમાં થતી બળતરા વિશે.
મોટાભાગે આ બિમારીના દર્દીની નશોમાં મુશ્કેલી રહે છે. નર્વ્સમાં મુશ્કેલી થવા પાછળ સૌથી મોટુ કારણ છે કે જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેના શરીરમાં શુગર લેવલ વધતું રહે છે. જેના કારણે નસોની મુશ્કેલી શરૂ થાય છે.
ડાયાબિટીસ ન્યૂરોપેથી
ડાયાબિટીસના દર્દીની નસોમાં જ્યારે મુશ્કેલી શરૂ થાય છે તો તેને ડાયાબિટીસ ન્યૂરોપેથી કહેવામાં આવે છે. તેમાં ઘણી નશો સમયની સાથે ખરાબ થવા લાગે છે. જેની સીધી અસર પગ પર પડે છે. જેના કારણે ચાલવા ફરવામાં મુશ્કેલી શરૂ થવા લાગે છે. પગમાં ખૂબ દુખાવો થવા લાગે છે. એવામાં ફક્ત દવાનો જ સહારો રહે છે.
પગમાં થતી બળતરાને કેવી રીતે કરશો દૂર?
જો તમે કે તમારી આસપાસ ડાયાબિટીસના દર્દી છે અને તેના પગમાં ખૂબ વધારે બળતરા થાય છે. તો તમે આ ઘરેલુ ઉપાય કરી શકો છો. સૌથી પહેલા એક ડોલમાં હુફાળુ પાણી લો અને તેમાં સિંધાલુ નાખો. સિંધાલુમાં નેચરલ મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે જે સોજાને ઓછો કરીને પગમાં થતી બળતરા અને દુખાવાને ઓછો કરે છે. ગરમ પાણીમાં સિંધાલુ નાખીને 20થી 30 મિનિટ સુધી પગને ડુબાડી રાખો.
આદુના તેલથી કરો માલિશ
ડાયાબિટીસના દર્દીને પગમાં થતી બળતરા ખૂબ પરેશાન કરી શકે છે. એવામાં તમે આદુના તેલનો ઉપયોગ પગ પર કરી શકો છો. દરરોજ રાત્રે સુતા પહેલા હાથમાં આદુનું તેલ લો અને તેને સારી રીતે પગ પર માલિશ કરો. તેનાથી બળતરા ઓછી થઈ જશે. આદુમાં એન્ટીઈન્ફ્લેમેન્ટરી તત્વ હોય છે જે તરત રાહત આપવામાં મદદ કરે છે.
એપલ વિનેગર
એપલ વિનેગરમાં ખૂબ જ ગુણ રહેલા છે. એપલ વિનેગર બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શન ઓછુ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસ ન્યૂરોપેથી માટે આ એક પરફેક્ટ પગલું છે. સૌથી પહેલા તમે હુંફાળુ પાણી લો અને તેમાં એપલ વિનેગર મિક્સ કરી લો. હવે આરામથી 20-25 મિનિટ તેમાં પગ મુકો. તેનાથી તમારી નસોને આરામ મળે છે અને તમે રાત્રે શાંતિથી સુઈ શકો છો.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir