બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Hiralal
Last Updated: 10:36 PM, 11 April 2023
પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેન્ક એચડીએફસી બેન્ક (HDFC Bank)ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. બેન્કે કેટલીક નિશ્ચિત અવધિ માટે માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં 85 બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. 10 એપ્રિલથી નવા રેટ લાગુ પડ્યાં છે અને તેને કારણે જૂની પર્સનલ અને ઓટો લોનનો હપ્તો ઘટી જશે.
MCLR ઘટાડનાર દેશની પહેલી બેન્ક બની HDFC
તાજેતરમાં રિઝર્વ બેન્ક (Reserve Bank)એ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો તે પછી એમસીએલઆરમાં ઘટાડો કરનારી એચડીએફસી દેશની પહેલી બેન્ક છે.
હોમ લોન લેનારાને કોઈ ફાયદો નહીં
જોકે, એમસીએલઆરમાં ઘટાડાથી એચડીએફસીમાંથી હોમ લોન લેનારાને કોઈ ફાયદો નહીં થાય, કેમકે, મોટાભાગની હોમ લોન એચડીએફસી લિમિડેટ (HDFC Ltd)માંથી લેવાયેલી છે. માત્ર એ લોકોને જ ફાયદો થશે જેમની લોન એમસીએલઆર સાથે જોડાયેલી છે. તેમાં કેટલીક જૂની પર્સનલ અને ઓટો લોન (ફ્લોટિંગ રેટ) સામેલ છે.
ઘટીને કેટલો થયો MCLR
85 બેસિસ પોઈન્ટના ઘટાડા બાદ ઓવરનાઈટ MCLR 7.80 ટકા રહી ગયો છે. પહેલા તે 8.65 ટકા હતો. એ જ રીતે એક મહિનાનો એમસીએલઆર પણ 8.65 ટકાથી 7.95 ટકા રહી ગયો છે. તેમાં 70 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરાયો છે. ત્રણ મહિનાના એમસીએલઆરમાં 40 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. તે હવે 8.7 ટકાથી ઘટીને 8.3 પર આવી ગયો છે. એચડીએફસી બેન્કએ છ મહિનાનો એમસીએલઆર 10 બેસિસ પોઈન્ટ્સ ઘટાડીને 8.7 ટકા કરી દીધો છે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં રેપો રેટને 6.5 ટકા પર જાળવી રાખવાનો નિર્ણય લેવાયો હતો.
MCLR શું હોય છે?
ભારતીય રિઝર્વ બેન્કે 2016માં MCLR સિસ્ટમ રજૂ કરી હતી. એ કોઈ નાણાકીય સંસ્થા એટલે કે, ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂશન માટે એક ઈન્ટરનલ બેન્ચમાર્ક છે. MCLR પ્રોસેસમાં લોન માટે મિનિમમ વ્યાજ દર નક્કી કરાય છે. MCLR એક લઘુતમ વ્યાજ દર છે, જેના પર બેન્ક ઉધાર આપી શકે છે. સામાન્ય ભાષામાં કહીએ તો માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ (MCLR) ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા નક્કી કરાયેલી એક પદ્ધતિ છે, જે કોમર્શિયલ બેન્ક્સ દ્વારા લોન પર વ્યાજ દર નક્કી કરવા માટે ઉપયોગ કરાય છે. રેપો રેટમાં ફેરફારથી એમસીએલઆરમાં પણ વધારા કે ઘટાડાની અસર પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir