બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Manisha Jogi
Last Updated: 08:22 AM, 10 June 2023
જ્યોતિષ શાસ્ત્રમાં હસ્તરેખા વિજ્ઞાનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. હસ્તરેખાની સહાયતાથી કોઈ વ્યક્તિના ચરિત્ર, લક્ષણ, આરોગ્ય, ધન, જ્ઞાન, કરિઅર, વિવાહ તથા અન્ય બાબતો વિશે ભવિષ્યવાણી કરવામાં આવી શકે છે. આ રેખાઓમાં 4 રેખાઓ એવી હોય છે, જેને હસ્તરેખા શાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ રેખાઓ વ્યક્તિના જીવન અને ભવિષ્ય વિશે જાણકારી આપે છે. આવો જાણીએ હસ્તરેખા વિશે વિગતવાર માહિતી.
ભાગ્ય રેખા-
ભાગ્ય રેખા હથેળામાં વચ્ચોવચ્ચ લાંબી હોય છે. જે વ્યક્તિના હાથમાં સ્પષ્ટ, સાફ અને મણિબંધથી શરૂ થઈને શનિ પર્વત સુધી જાય તે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. આ વ્યક્તિ જીવનમાં સફળતા અને ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે.
જીવન રેખા-
આ રેખા મણિબંધ અથવા તેની પાસે થઈને અંગુઠા અને તર્જની વચ્ચેથી હથેળીના ખૂણે અડે છે. જેથી વ્યક્તિની ઉંમર, મૃત્યુનું કારણ, જીવનના સંકટ તથા દુર્ઘટના વિશે જાણી શકાય છે.
મસ્તિષ્ક રેખા-
મસ્તિષ્ક રેખા અથવા જ્ઞાન રેખા હથેળની મહત્ત્વપૂર્ણ રેખા છે. જે તર્જની અને અંગુઠાની વચ્ચેથી શરૂ થઈને હથેળીની બીજા ભાગ તરફ જતી રેખાને મસ્તિષ્ક રેખા તરીકે ઓળખવામાં આવે છે. આ રેખાથી વ્યક્તિની બુદ્ધિમતા, માનસિક સ્થિતિ અને તેના વિચાર વિશે જાણકારી આપે છે.
હ્રદય રેખા-
હ્રદય રેખાને પ્રેમ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રેખા સૌથી નાની આંગળીથી શરૂ થઈને તર્જની આંગળીની નીચે જાય છે. જે વ્યક્તિના પ્રેમ બાબતે દ્રષ્ટિકોણ વિશે જાણકારી આપે છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir