બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Hiralal
Last Updated: 04:53 PM, 5 March 2023
ગુજરાત હાઈકોર્ટે પંચમહાલના મોરવા હડફ તાલુકાના એક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટની ખંડપીઠે કહ્યું કે સરકારી નોકરીમાં જે પદ માટે જેટલી શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત હોય તે મુજબ જ ભરતી કરવી જોઈએ, તેનાથી ઉપરવટ જઈને માપદંડો બહાર જઈ અન્ય ઉમેદવારની નિમણૂક કરી શકાય નહીં. વધુમાં જે ઉમેદવાર પાત્રતા ધરાવતા હોય તેમને નિમણૂકથી વંચિત રાખી શકાય નહીં.
જે ઉમેદવાર પાત્રતા ધરાવે છે તેને વંચિત ન રાખી શકાય
આ કેસમાં ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે, માત્ર શૈક્ષણિક લાયકાત વધારે હોવાથી જાહેરાતમાં દર્શાવેલી શરતોનો ભંગ કરીને નિમણૂંક ન આપી શકાય. સાથે જ હાઈકોર્ટે જણાવ્યું કે, જે ઉમેદવાર પાત્રતા ધરાવે છે તેને નિમણૂંકથી વંચિત ન રાખી શકાય.
હાઈકોર્ટે નોંધ્યું કે, કોઈ પણ પસંદગી પ્રક્રિયા દર્શાવેલી પ્રક્રિયા અનુસાર જ થવી જોઈએ. જ્યારે જાહેરાતમાં પસંદગીના ધોરણો નિર્દિષ્ઠ હોય ત્યારે પછી તેમાં કોઈ છૂટછાટ કે રાહતને અવકાશ હોતો નથી. તેથી સત્તાધીશોએ એસએસસી પાસની લાયકાતને જ ધ્યાનમાં રાખવી. હાઈકોર્ટે અરજદાર સુરેખાની અરજી ફગાવી હતી.
પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાનો હતો મામલો
સત્તાધીશોએ પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં બીએડની ડિગ્રી ધરાવતા ઉમેદવાર સુરેખાની સંકલનકાર કમ રસોઈયા તરીકે નિમણૂક કરી હતી. જોકે, પ્રતિવાદી ભાવના પરમારે આ નિમણૂકનો વિરોધ કર્યો હતો. તેમણે ફરિયાદ કરી હતી કે, 11 ફેબ્રુઆરી 2016ના રોજ ઓથોરિટીએ પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંકલનકાર કમ રસોઈયાની જાહેરાત બહાર પાડી હતી. આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત એસએસસી પાસ હોવી જરૂરી હતી. જોકે, સત્તાધીશોએ આ પદ માટે વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા સુરેખાબહેનની નિમણૂક કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh