બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Good news for people of Saurashtra who are planning to visit Mumbai and Goa

સુવિધા / ઉનાળુ વેકેશન માણવા જનારા સૌરાષ્ટ્રવાસીઓ માટે ગુડ ન્યુઝ: હવે રાજકોટથી મુંબઈ જવા મળશે રોજની 4 ફ્લાઇટ

Malay

Last Updated: 12:00 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ અને ગોવા ફરવા જવાનું વિચારી રહેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે ગુડ ન્યૂઝ. રાજકોટથી મુંબઈ જવા યાત્રિકોને રોજની ચાર ફ્લાઈટ મળશે. સાથે ગોવાની ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ ઉડાન ભરશે

 

  • સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર
  • મુંબઈ જવા રોજની 4 ફ્લાઇટ શરૂ
  • ગોવાની ફ્લાઇટ સપ્તાહમાં 3 દિવસ ઉડાન ભરશે

ઉનાળાના વેકેશનમાં ફરવા જતા સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટથી મુંબઈ જવા દરરોજની 4 ફ્લાઇટ મળશે. સવારની 2 નવી ફ્લાઇટ શરૂ કરાતા ફ્રેક્વન્સીમાં વધારો થયો છે. આ ઉપરાંત રાજકોટ એરપોર્ટ પરથી વેકેશનમાં ગોવાની ફ્લાઇટ સપ્તાહમાં 3 દિવસ ઉડાન ભરશે. ગોવાની ફ્લાઇટ મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઉપડશે. 

Topic | VTV Gujarati

ઇન્ડિગો અને એર ઈન્ડિયાએ શરૂ કરી છે ફ્લાઇટ
તાજેતરમાં જ એર ઈન્ડિયા દ્વારા રાજકોટથી મુંબઈ માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. તો આ પહેલા ઈન્ડિગોએ રાજકોટથી મુંબઈ જવા માટે ફ્લાઇટ શરૂ કરી હતી. હવાઈ મુસાફરીની સંખ્યામાં વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ભારતીય વિમાન ઉદ્યોગ માટે 'ઐતિહાસિક ક્ષણ', AirIndia એ આપ્યો એકસાથે 840  વિમાનોનો ઓર્ડર I <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/air-india' title='Air India'>Air India</a> Will puchase 840 planes, officer gave the  information

પેસેન્જર્સની સંખ્યામાં વધારો થતાં લેવાયો હતો નિર્ણય 
રાજકોટ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ફ્લાઇટની સંખ્યા પણ સતત વધારવામાં આવી રહી છે. એપ્રિલ મહિનામાં  ઇન્ડિગો અને એર ઈન્ડિયા દ્વારા રાજકોટથી મુંબઈની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. 

20 એપ્રિલથી શરૂ કરી છે ફ્લાઇટ
મે મહિનામાં મુસાફરોની સંખ્યામાં વધુ ઉછાળો આવે તેવી શક્યતાના પગલે એર ઈન્ડિયાએ 20 એપ્રિલથી ફ્લાઇટ શરૂ કરી છે.  હવે બે ફ્લાઈટ સવારે અને બે ફ્લાઈટ સાંજે એમ કુલ ચાર ફ્લાઈટ ઉપલબ્ધ થતા યાત્રિકોને રાહત થઇ છે. સવારે ફ્લાઈટ શરૂ કરવામાં આવતા સૌરાષ્ટ્રના વેપારીઓ, ઉદ્યોગકારો સવારે ફ્લાઈટમાં મુંબઈ જઈને પોતાનું કામ પતાવીને સાંજની ફ્લાઈટમાં રાજકોટ પરત આવી શકશે. રાજકોટથી ગોવાની ફ્લાઈટ સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઉડાન ભરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ