બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / God willing, let this all be over now: See what Bhanio Krishna Abhishek said on the quarrel with Govinda

Bollywood / ભગવાન કરે, હવે આ બધુ ખતમ થઈ જાય: ગોવિંદા સાથે ઝઘડા મામલે જુઓ શું બોલ્યો ભાણિયો કૃષ્ણા અભિષેક

Vishal Khamar

Last Updated: 11:25 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટર કોમેડિયન કૃષ્ણા અભિષેકે અને ગોવિંદા વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ તેનાં ડાન્સનાં એક વીડિયોમાં તેના મામા ગોવિંદાને ટેગ કર્યા હતા અને કહ્યું હતું કે તે વહેલામાં વહેલી તકે ગોવિંદા તેમજ તેમની પત્નિ સુનીતા સાથે ચાલી રહેલ વિવાદને પૂર્ણ કરવા માંગે છે.

  • કોમેડિયન કૃષ્ણા અભિષેકે તેના ડાન્સ વીડિયોમાં મામા ગોવિંદાને કર્યા ટેગ
  • કૃષ્ણા અભિષેક તેમજ ગોવિંદા વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે વિવાદ
  • ગોવિંદાએ 2022 માં કહ્યું હતું કે તેણે કૃષ્ણાને માફ કરી દીધો છે

તાજેતરમાં જ એક્ટર-કોમેડિયન કૃષ્ણા અભિષેકે તેના ડાન્સ વીડિયોમાં તેના મામા ગોવિંદાને ટેગ કર્યા છે. તાજેતરમાં, મીડિયા સાથે વાત કરતી વખતે, કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે તે ગોવિંદા અને તેની પત્ની સુનીતા સાથે ચાલી રહેલ ઝઘડાને વહેલી તકે ઠીક કરવા માંગે છે કારણ કે તે તેમને ખૂબ પ્રેમ કરે છે. જો કે ગોવિંદા પોતાના તરફથી આ અંગે સ્પષ્ટતા કરી ચૂક્યો છે. તેણે કહ્યું હતું કે તેને કૃષ્ણ પ્રત્યે કોઈ દ્વેષ નથી. કૃષ્ણા અભિષેક ગોવિંદાની બહેન પદ્માનો પુત્ર છે.

જ્યાં પ્રેમ છે ત્યાં ઝઘડો પણ છેઃ કૃષ્ણ અભિષેક
કૃષ્ણા અભિષેકે વધુમાં કહ્યું હતું કે,  જ્યાં પ્રેમ છે ત્યાં લડાઈ પણ છે. પણ હવે બહુ થયું! તે હવે બધું બરાબર હોવું જોઈએ. હું મારા કાકીને પણ ખૂબ પ્રેમ કરું છું. તેમણે મારા માટે ઘણું કર્યું છે. તે મારા માતા જેવા છે. જ્યારે માતાને બાળક વિશે કંઇક ખરાબ લાગે છે. ત્યારે તે એટલા ગુસ્સે થાય છે કે તેમને લાગે છે કે હું તેમને ફરી ક્યારેય મળવા માંગતો નથી. મને લાગે છે કે તેમના ગુસ્સાનું કારણ પણ કંઈક આવું જ હશે.

ગોવિંદાએ 2022માં કહ્યું હતું કે મેં કૃષ્ણાને માફ કરી દીધો છે
કૃષ્ણા અભિષેક હજુ પણ બંને પરિવારો વચ્ચેના સંબંધો સુધરવાની રાહ જોઈ રહ્યા છે. 2022 માં મનીષ પોલના પોડકાસ્ટમાં, ગોવિંદાએ કહ્યું કે કૃષ્ણા તેની બહેનનો પુત્ર છે. જેણે હંમેશા મને ખૂબ પ્રેમ કર્યો છે. મને અફસોસ છે કે હું તેનો પ્રેમ મેળવી શક્યા નથી. ક્યારેય એવું ન વિચારો કે મને તમારા બંને પ્રત્યે કોઈ નારાજગી છે. હું તમને માફ કરું છું, ભગવાન તમને આશીર્વાદ આપે છે.

ગોવિંદા 2016માં કરેલા ટ્વિટના કારણે કૃષ્ણાથી નારાજ છે
ગોવિંદા અને કૃષ્ણા અભિષેક વચ્ચે 2016થી ઝઘડો ચાલી રહ્યો છે.  થોડા સમય પહેલા કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહે ટ્વીટ કર્યું હતું કે કેટલાક લોકો પૈસા માટે ડાન્સ કરે છે.  ત્યારે આ ટ્વીટ બાદથી ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા અભિષેક અને કાશ્મીરાથી નારાજ છે. 2021માં પણ સુનીતા-કાશ્મીરાએ એકબીજા પર ટિપ્પણી કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ