બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / get relief from stomach gas problem consume celery buttermilk banana

સ્વાસ્થ્ય / પેટમાં ગેસ ભરાય છે? તો ફૉલો કરો આ 5 ટિપ્સ, જડમૂળથી સમસ્યાનો થઇ જશે નિકાલ

Arohi

Last Updated: 09:40 AM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stomach Gas Problem: આખો દિવસ બેસી રહેવાના કારણે અને વધારે પડતી ચાના સેવનથી પણ પેટમાં ગેસ બનવા લાગે છે. તેના માટે લોકો ઘણા પ્રકારની દવાઓ અને ઘરગથ્થુ ઉપાય કરે છે. પરંતુ તેનાથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ આવો જાણીએ.

  • બેઠાળુ જીવન હોવાના કારણે પેટમાં બને છે ગેસ 
  • ગેસ થતો હોય તો આ વસ્તુઓનું કરો સેવન 
  • તરત દેખાશો ફરક 

અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને ભોજનના કારણે શરીરમાં ઘણી બિમારીઓ ઉભી થાય છે. તેમાંથી એક છે પેટનો ગેસ. જણાવી દઈએ કે આજકાલ પેટમાં ગેસ બનવો ફક્ત વૃદ્ધો માટે જ નહીં પરંતુ યુવાઓ માટે પણ મોટી સમસ્યા બની ગયું છે. પેટમાં ગેસ બનવાથી મોટાભાગે પેટમાં દુખાવો, છાતીમાં દુખાવો કે માથામાં દુખાવાની ફરિયાદ રહે છે. 

આખો દિવસ બેસી રહેવાના કારણે અને વધારે પ્રમાણમાં ચાનું સેવન કરવાના કારણે ગેસ બની શકે છે. તેના માટે લોકો ઘણા પ્રકારની દવાઓ અને ઘરગથ્થુ ઉપાય કરે છે. પરંતુ તેનાથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ આવો જાણીએ.

આ 5 સરળ ઉપાય પેટના ગેસની કરી દેશે છુટ્ટી


અજમો 
જો તમારા પેટમાં ગડબડ છે કે ગેસ બની રહ્યો છે તો સેકેલા અજમાનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને ગેસની સમસ્યાથી જલ્દી રાહત મળી જશે. જણાવી દઈએ કે અજમામાં થાઈમોલ નામનું એક યૌગિક હોય છે. જે ગેસ્ટ્રિક એસિડને સ્રાવિત કરે છે અને પાચનમાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો ગેસની સમસ્યામાં અડધી ચમચી અજમાના બીજ પણ રાખી શકો છો. 

છાસ 
નિયમિત છાસ પીવાથી પેટ સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર થાય છે. સામાન્ય રીતે ગેસની મુશ્કેલી હોવા પર તેને પીવાથી પેટનું પીએચ યોગ્ય રહે છે અને એસિડિટી દૂર કરે છે. જણાવી દઈએ કે છાસમાં લેક્ટિક એસિડ મળી આવે છે જે ગેસ્ટિક એસિડિટીથી તમને રાહત આપે છે. તેનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે અને હાથ-પગમાં બળતરાની સમસ્યાથી પણ રાહત મળે છે. 

કેળા 
પેટમાં બળતરા, ગેસ, એસિડિટીની સમસ્યાને દૂર કરવા માટે કેળું ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જણાવી દઈએ કે કેળામાં મળી આવતા પેસટિન તત્વ ભોજન સાથે જોડાયેલી ગડબડીના કારણે થતી કબજીયાતને દૂર કરે છે. માટે તમે કેળાને ખાંડની સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. કેળાનું નિયમિત સેવન કરવાથી મોં અને પેટમાં પડેલા ચાંદાથી છુટકારો મળે છે. 

એપલ વિનેગર 
એપ્પલ સાઈડર વિનેગરનું સેવન કરવાથી પેટમાં બનતા ગેસની સમસ્યાને દૂર કરી શકાય છે. તેના માટે તમારે 1 કપ પાણીમાં 2 મોટી ચમચી અનફિલ્ટર્ડ એપલ વિનેગરનો ઉપયોગ કરવાનો છે. તેનું દિવસમાં બે વખત સેવન કરવાથી તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓથી રાહત મળી શકે છે. જોકે તેનો ઉપયોગ કરવા પહેલા એક્સપર્ટની સલાહ જરૂરી છે. 

જીરા પાણી 
ગેસ્ટ્રિક કે ગેસની સમસ્યા માટે જીરા પાણી સૌથી બેસ્ટ ઘરગથ્થુ ઉપાય છે. જણાવી દઈએ કે જીરામાં જરૂરી તેલ હોય છે જે લાર ગ્રંથિઓને ઉત્તેજીત કરવાનું કામ કરે છે. તેનાથી ભોજન સારી રીતે પચે છે. આ પેટમાં વધારે ગેસના નિર્માણને પણ રોકે છે. જીરા પાણી બનાવવા માટે એક ચમચી જીરૂ લો. હવે બે કપ પાણીમાં 10-15 મિનિટ માટે તેને ઉકાળો. હવે ઠંડુ થયા બાદ ભોજન બાદ તેનું સેવન કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ