બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Gaushala electricity bill does not have to be paid if congress will win Punjab Assembly election
Khyati
Last Updated: 10:36 AM, 5 January 2022
દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઇને રાજકીય પક્ષો મત મેળવવા પ્રજાને રિઝવવાનું કાર્ય કરી રહ્યા છે. જાહેરાતો કર્યા બાદ આખુ વર્ષ ભલે કામ થાય કે ન થાય પરંતુ ચૂંટણી ટાણે નેતાઓ સત્તર વાયદા કરે. ત્યારે પંજાબમાં પણ વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ચન્નીએ રાજ્યમાં ગૌશાળામાં અત્યાર સુધીના પેન્ડિંગ બિલો માફ કરવાનો નિર્ણય કર્યો છે.
સોલર સિસ્ટમ માટે 5લાખની સહાય
પંજાબમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ જ્યાં પહેલેથી જ મફતમાં વિજળી આપવાનો વાયદો કર્યો છે ત્યારે મુખ્યમંત્રી સીએમ ચન્ની પણ આ રેસમાં પાછળ નથી. ગૌશાળાના અત્યાર સુધીના પેન્ડિંગ વીજ બિલો માફ કરવાની જાહેરાત કરી છે તો સાથે ગૌશાળામાં સોલર સિસ્ટમ લગાવવા માટે 5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. જેથી સરળતાથી વીજળીનું ઉત્પાદન થઇ શકશે.
The Punjab government has decided to waive off pending electricity bills of all 'Gaushalas' in the state. Rs 5 lakhs each will be given to all gaushalas to set up solar systems for electricity: CM Charanjit Singh Channi pic.twitter.com/QO9fZwFBsj
— ANI (@ANI) January 4, 2022
યુવાઓને નોકરી આપવાનો પણ કર્યો વાયદો
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે જો કોંગ્રેસ આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તામાં આવશે તો યુવાઓને એક વર્ષની અંદર નોકરી આપશે. તેઓએ એક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પંજાબ સરકાર યુવાઓ માટે રોજગાર ગેરંટી યોજનાનો શુભારંભ કર્યા બાદ કહ્યુ કે ધોરણ 12 પાસ કરનાર યુવાઓને નોકરીને પાત્ર બનશે. સરકાર બન્યા બાદ એક વર્ષની અંદર અંદર નોકરી આપવામાં આવશે. ચન્ની સરકારે કહ્યુ કે નોકરીઓનો વાયદો એ કોઇ જાહેરાત નહી પરંતુ પંજાબ મંત્રીમંડળના નિર્ણયના સમર્થનમાં એક પ્રતિબદ્ધતા છે. તેમણે એમ પણ કહ્યુ કે કોંગ્રેસ સરકારનો આ પહેલો નિર્ણય યુવાઓને નોકરીઓ આપવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh