બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / Gangs of Wasseypur out of theaters due to Salman: Anurag Kashyap's shocking revelation

મનોરંજન / સલમાનના લીધે થિએટરોમાંથી Gangs of Wasseypur....: અનુરાગ કશ્યપનો ચોંકાવનારો ખુલાસો

Megha

Last Updated: 11:52 AM, 4 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી અનુરાગ કશ્યપની ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાઈ રહી છે અને અનુરાગે તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું.

  • અનુરાગ કશ્યપની ફિલ્મ ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત થઈ રિલીઝ
  • ફિલ્મ હજુ સુધી બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નથી કર્યો 
  • મારી ફિલ્મોને થિયેટરોમાં જગ્યા જ નથી મળતી - અનુરાગ કશ્યપ 

અનુરાગ કશ્યપની ફિલ્મ ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત 3 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરમાં રિલીઝ થઈ ગઈ છે અને અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ એ પણ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. જો કે રિલીઝ થયેલી આ ફિલ્મ હજુ સુધી બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મે પહેલા દિવસે લગભગ 40 લાખ રૂપિયાની કમાણી હતી. જો કે લાંબા સમયથી બોક્સ ઓફિસ પર પિટાઈ રહેલ એમની ફિલ્મોને લઈને અનુરાગે તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. 

મારી ફિલ્મોને થિયેટરોમાં જગ્યા જ નથી મળતી 
એક ઈન્ટરવ્યુમાં જ્યારે અનુરાગ કશ્યપને પૂછવામાં આવ્યું કે તમારી ફિલ્મો ખૂબ પસંદ કરવામાં આવે છે, આમ છતાં તે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નથી કરી શકતી અને પ્રેક્ષકોને થિયેટરોમાં આકર્ષી પણ નથી શકતી તો તેની પાછળનું કારણ શું છે? આ પ્રશ્નના જવાબમાં અનુરાગ કશ્યપે કહ્યું કે 'મારા દર્શકો ખૂબ જ અલગ છે. કોમર્શિયલ ફિલ્મોની જેમ મારા દર્શકો પહેલા જ દિવસે સિનેમાઘરો સુધી પહોંચી શકતા નથી કારણ કે દરેક લોકો કામમાં વ્યસ્ત હોય છે અને સમય કાઢવો મુશ્કેલ બને છે જો કે લોકો મારી ફિલ્મો ચોક્કસ જુએ છે. ભલે એ પછી લેપટોપ કે ટીવી પર કે મોબાઈલમાં જોતાં હોય અને મારી ફિલ્મ ન ચાલવા પાછળ બીજું કારણ પણ છે કે મારી ફિલ્મોને થિયેટરોમાં એટલી જગ્યા નથી મળતી.

અનુરાગ કશ્યપે પોતે શેર કર્યો એક કિસ્સો 
આ સાથે જ અનુરાગે તેની સૌથી આઇકોનિક ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર વિશે એક કિસ્સો પણ શેર કર્યો હતો. અનુરાગ કશ્યપે કહ્યું કે મારી ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર પણ 9 દિવસ પછી હટાવી દેવામાં આવી હતી કારણ કે આ સમયે સલમાન ખાનની એક થા ટાઈગર રિલીઝ થવાની હતી અને આવા જ કારણે મારી ફિલ્મો બોક્સ ઓફિસ પર એટલું સારું પ્રદર્શન કરી શકતી નથી. જણાવી દઈએ કે અનુરાગ કશ્યપ આ દિવસોમાં ડીજે મોહબ્બત સાથે તેની ફિલ્મ ઓલમોસ્ટ લવના પ્રમોશનમાં વ્યસ્ત છે.

આ ફિલ્મ દ્વારા અનુરાગ કશ્યપે તેની પુત્રી આલિયા કશ્યપ સાથે પણ ઘણો સમય વિતાવ્યો છે. ફિલ્મ વિશે વાત કરતાં અનુરાગ કશ્યપે કહ્યું હતું કે આ ફિલ્મ જનરેશન ઝેડની લવ સ્ટોરી પર બનાવી છે અને આ ફિલ્મમાં આલિયા કશ્યપ સાથે કરણ મહેરા પણ જોવા મળશે. આ સાથે જ અનુરાગ કશ્યપની સાથે જ કરણ મહેરાએ પણ ફિલ્મ વિશે ઘણી વાતો શેર કરી હતી અને કરણે આલિયા કશ્યપ સાથે કામ કરવાનો અનુભવ પણ જણાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ