બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 04:51 PM, 18 September 2023
સનાતન ધર્મમાં પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશ ખૂબ જ શક્તિશાળી અને દયાળુ દેવતા છે. તેમની પૂજા જે પણ સાચ્ચા દિલથી કરે છે તેમના જીવનમાંથી દુઃખ છુમંતર થઈ જાય છે. કોઈ પણ પૂજા કે શુભ કામની શરૂઆત શ્રી ગણેશની પૂજાથી કરવામાં આવે છે. ભગવાન ગણેશ ભોલેનાથ અને માતા પાર્વતીના પુત્ર છે અને જ્ઞાન અને સુખ સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે. તેમની બુદ્ધિના કારણે તેમને પ્રથમ પૂજનીય દેવતાનું સ્થાન પ્રાપ્ત છે.
મૂષકરાજ કઈ રીતે બન્યા ભગવાન ગણેશના વાહન?
પૌરાણિક કથા અનુસાર ઈંદ્ર દેવના દરબારમાં એક ક્રોંચ નામનો ગંધર્વ હતો જે દરબાર વખતે મજાક મસ્તીમાં વ્યસ્થ હતો જેના કારણે દરબારમાં ભંગ થઈ રહ્યો હતો. તે સમયે ક્રોંચે મુનિ વામદેવના ઉપર પેગ મુકી દીધો. આ ઘટનાથી વામદેવ ક્રોધિત થઈ ગયા અને તેમને ક્રોંચને શ્રાપ આપી દીધો અને તે શ્રાપના કારણે તે ઉંદર બની ગયા.
ઉંદર બન્યા બાદ પણ તે ન સુધર્યા અને તેમણે પરાશર ઋષિના આશ્રમમાં ભયંકર તોફાન મચાવ્યું. ભગવાન શ્રી ગણેશ પણ તે આશ્રમમાં હતા મહર્ષિ પરાશરે બધી વાત ગણેશજીને જણાવી અને આ મુષકને પાઠ ભણાવવા માટે કહ્યું. ગણેશજીએ તે મુષકને પકડી લીધો અને તેને પાઠ ભણાવ્યું. મુષકે ભગવા પાસે પોતાના જીવની ભીખ માંગી ત્યારે ગણેશજીએ તેને પોતાનું જ વાહન બનાવી લીધુ.
બીજી પૌરાણિક કથા
બીજી એક પૌરાણિક કથા અનુસાર ગજમુખાસુર નામનો રાક્ષસ હતો બધા દેવતાઓને ખૂબ પરેશાન કરી રહ્યો હતો. બધા દેવતા એક દિવસ ભગવાન શ્રી ગણેશની પાસે પહોંચ્યા અને પોતાની વ્યથા જણાવી. ભગવાન શ્રી ગણેશ રાક્ષસને સમજાવવા ગયા તો તેણે તેમને યુદ્ધ માટે લલકાર્યા અને પછી ભગવાન શ્રી ગણેશ અને ગજમુખાસુર રાક્ષસની વચ્ચે યુદ્ધ થયું.
આ યુદ્ધમાં ગણેશ ભગવાનનો એક દાંત તૂટી ગયો જેનાથી તે ખૂબ ક્રોધિત થયા. ક્રોધમાં આવીને તેમણે રાક્ષસ પર પોતાના દાંતથી વાર કર્યો અને ગજમુખાસુર ગભરાઈને ઉંદર બનીને ભાગી ગયો. ગણેશજીએ તેને પકડી લીધો ત્યારે રાક્ષસે પોતાના જીવની ભીખ માંગી અને ભગવાન શ્રી ગણેશે તેને પોતાનું વાહન બનાવી લીધું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh