બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
VTV / FSSAI Notifies Comprehensive Regulatory Standards for Basmati Rice
Hiralal
Last Updated: 05:20 PM, 12 January 2023
ADVERTISEMENT
ભાતમાં મોટાપાયે વપરાતા બાસમતી ચોખાને લઈને સરકારે પહેલી વાર કેટલાક નિયમો બનાવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળની એજન્સી FSSAIએ બાસમતી ચોખા માટે નિયમનકારી માપદંડો જાહેર કર્યાં છે જેનો 1 ઓગસ્ટ 2023થી અમલ કરવામાં આવશે. FSSAIએ દેશમાં પ્રથમ વખત બાસમતી ચોખા (બ્રાઉન બાસમતી ચોખા, મિલ્ડ બાસમતી ચોખા, પરબોઇલ બ્રાઉન બાસમતી ચોખા અને મિલેડ પરબોઇલ્ડ બાસમતી ચોખા સહિત) માટે ઓળખના માપદંડો નક્કી કર્યાં છે.
First time in India, FSSAI notifies comprehensive regulatory standards for Basmati Rice which will be enforced from 1st Aug 2023. It shall possess natural fragrance characteristic of basmati rice & be free from artificial colouring, polishing agents & artificial fragrances: GoI pic.twitter.com/8cB8P5uEyG
— ANI (@ANI) January 12, 2023
ADVERTISEMENT
બાસમતી ચોખા કુદરતી સુગંધ ધરાવતા હોવા જોઈએ
આ ધારાધોરણો મુજબ, બાસમતી ચોખા કુદરતી સુગંધ ધરાવતા હોવા જોઈએ અને તે કૃત્રિમ રંગો, પોલિશિંગ એજન્ટ્સ અને કૃત્રિમ સુગંધથી મુક્ત હોવા જોઈએ. આ માપદંડો બાસમતી ચોખા માટે વિવિધ ઓળખ અને ગુણવત્તાના માપદંડોને પણ સ્પષ્ટ કરે છે, જેમ કે અનાજનું સરેરાશ કદ અને રાંધ્યા પછી તેનો લંબાઈનો ગુણોત્તર; ભેજ, એમિલોઝનું પ્રમાણ, યુરિક એસિડ, ખામીયુક્ત/ક્ષતિગ્રસ્ત અનાજ.
બાસમતી ચોખાના વેપારમાં ભ્રષ્ટાચાર અટકાવવા નિર્ણય લેવાયો
સરકારે વધુમાં નોંધ્યું હતું કે, નવા ધારાધોરણોનો હેતુ બાસમતી ચોખાના વેપારમાં વાજબી પદ્ધતિઓ સ્થાપિત કરવાનો અને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે.
નોન-બાસમતી ચોખાની નિકાસ પ્રતિબંધ હટાવવાના મહિના બાદ નિર્ણય
ભારતે તૂટેલા ચોખા સહિત ઓર્ગેનિક નોન-બાસમતી ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધાના મહિનાઓ પછી આ જાહેરનામું બહાર આવ્યું છે. સપ્ટેમ્બર, 2022 ની શરૂઆતમાં, સરકારે તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ભાવ વધારાને કાબૂમાં રાખવા માટે બિન-બાસમતી ચોખા પર 20 ટકા કસ્ટમ્સ ડ્યુટી પણ લગાવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT