બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Politics / Former Chief Minister of Punjab Captain Amarinder Singh joined BJP, party PLC-Punjab Lok Congress also merged
Priyakant
Last Updated: 06:23 PM, 19 September 2022
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. આ સાથે કેપ્ટન અમરિંદરે પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું ભારતીય જનતા પાર્ટીમાં વિલય પણ કરી દીધું છે. આજે મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કિરેન રિજિજુએ તેમને ભાજપનું સભ્યપદ અપાવ્યું. અમરિંદરની સાથે તેમના ઘણા સહયોગીઓ પણ ભાજપમાં જોડાયા હતા.
પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહ આજે પોતાના પુત્ર અને પુત્રી સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. આ સાથે તેમના પક્ષ પંજાબ લોક કોંગ્રેસનો પણ ભાજપમાં વિલય થઈ ગયો છે. પાટનગર નવી દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટર ખાતે કેપ્ટન અમરિંદરસિંહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની હાજરીમાં પ્રાથમિક સભ્યપદ ગ્રહણ કરીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. તેમની સાથે પંજાબના છ પૂર્વ ધારાસભ્યો, કેપ્ટનના પુત્ર રણઈંદરસિંહ, પુત્રી જયઈંદર કૌર, પૌત્ર નિર્વાણસિંહ પણ ભાજપમાં જોડાયા છે, જોકે કેપ્ટનનાં પત્ની સાંસદ પરનીતકૌર હાલ કોંગ્રેસમાં જ રહેશે.
We think that right thinking people of the country should be united. A sensitive state like Punjab should be handled carefully. During his tenure as CM, he never kept politics before national security: Union minister Kiren Rijiju on Capt Amarinder Singh joining BJP pic.twitter.com/B0IHTYzH4j
— ANI (@ANI) September 19, 2022
મહત્વનું છે કે, આ અગાઉ પણ કેપ્ટનના કેટલાય સાથીઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કેપ્ટન અમરિંદરસિંહે કોંગ્રેસ સાથે છેડો ફાડીને નવા પક્ષ પંજાબ લોક કોંગ્રેસની રચના કરી હતી અને પંજાબની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. એ વખતે તેમના પુત્ર રણઈંદરસિંહે જ ભાજપ સાથે તાલમેલ સાધીને ટિકિટની વહેંચણીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરંતુ પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ)ની આંધી સામે કેપ્ટનનો પક્ષ પરાજિત થયો હતો અને ભાજપ પણ હાંસિયામાં ધકેલાઈ ગયો હતો.
તો શું હવે કેપ્ટનને મોટી જવાબદારી મળશે ?
અમરિંદરસિંહ કેપ્ટનના હવે ભાજપમાં સામેલ થવાના પગલે ભાજપ તેમને અને તેમના નિકટના સાથીઓને પંજાબમાં કોઈ મોટી જવાબદારી સોંપે તેવાં એંધાણ છે. એવા પણ અહેવાલો છે કે, કેપ્ટનને કદાચ કેન્દ્ર સરકારમાં પણ કોઈ મોટી જવાબદારી મળી શકે છે. હકીકતમાં ભાજપ પંજાબમાં પોતાના સંગઠનને મજબૂત કરવામાં વ્યસ્ત છે અને પંજાબ ભાજપના પ્રદેશ પ્રમુખ કેપ્ટન અશ્વની શર્માનો કાર્યકાળ ટૂંક સમયમાં સમાપ્ત થનાર છે અને તેથી સૂત્રોના જણાવ્યા અનુસાર અમરિંદર ઉપરાંત તેમના સાથીઓને પણ પંજાબ ભાજપની મોટી જવાબદારી સોંપાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir