બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Former BJP MP Chandresh Patel made serious allegations regarding land re-survey
Ronak
Last Updated: 03:41 PM, 12 February 2022
ગુજરાતમાં જમીનના સર્વેની લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ત્યારે જમીન રી સર્વે મુદ્દે ભાજપના પૂર્વ સાંસદે મહત્વનુ નિવેદન આપ્યું છે. પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલે જમીન માપણીને રદ કરવાની માંગ ઉઠાવી છે. તેમને જણાવ્યુ હતુ કે, જમીન માપણીમાં 80 ટકા ક્ષતિઓ આવેલી છે. આથી જૂની માપણી માન્ય રાખવી જોઈએ અને નવી માપણી રદ કરવી જોઈયે.
મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી
ભાજપના પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલે જમીન માપણી મામલે એવો પણ આરોપ લગાવ્યો કે, આ રીસર્વેના પ્રશ્નોને લઈને અધિકારીઓ બેફામ લૂંટ ચલાવે છે. રાજ્ય સરકારે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ જે રીસર્વે કર્યો હતો તેમાં મોટા ભાગે ક્ષતિઓ થઈ હોવાથી ચંદ્રેશ પટેલે કહ્યુ હતુ કે, આ મુદ્દાને લઈ ભાઈ ભાઈ અને પાડોશી પાડોશી વચ્ચે વેર વધશે. જેથી આ પ્રોજેકટ પડતો મુકાય એ જ એક માત્ર રસ્તો છે. આ મામલે ચંદ્રેશ પટેલે રજૂઆત પણ કરી છે. સાથેજ આ સમગ્ર મામલે તેમણે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે.
કૃષીમંત્રીએ આપ્યું નિવેદન
સમગ્ર મુદ્દે હવે રાજ્યના કૃષીમંત્રી ભાજપના નેતાના આ નિવેદન બાદ સામે આવ્યા છે. રાઘવજી પટેલે પુર્વ સાંસદની માગ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ કે, તેઓ અમારી પાર્ટીના નેતા છે. તેમની પાસે ખેડૂતોની જે કોઈ સમસ્યા હોય તેને રજૂ કરવાનો ચંદ્રેશ પટેલને અધિકાર છે.
80 ટકા ક્ષતીઓ હોવાનો ઉલ્લેખ
ઉલ્લેખનીય છે કે, ચંદ્રેશ પટેલે જમીન માપણીને રદ કરવાની રજૂઆત સાથે જણાવ્યુ છે કે, આ રી સર્વેમાં 80 ટકા ક્ષતિઓ છે, આ ભુલોને સુધારવા અધિકારીઓ અરજદારો પાસેથી બેફામ લૂંટ ચલાવે છે. જેથી રી સર્વેને રદ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
મહેસૂલ મંત્રીનું નિવેદન
ઉલ્લેખનીય છે કે આ મામલે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર તિવારી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે એવું કહ્યું છે કે જમીન રી સર્વેની કામગીરીમાં 80 ટકા નહી પરંતુ 20 ટકા જ ક્ષતીઓ છે. સાથેજ તેમણે કહ્યું કે અમે અમારી કક્ષાએથી ક્ષતિઓ સુધારવાના પ્રયાસ કરી રહ્યા છે. અને રિ સર્વે સુધારવાની કામગીરી ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh