બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 12:21 AM, 27 August 2023
Food For Liver: કિડની, હૃદય અને મગજની જેમ લીવર પણ આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાં ગણવામાં આવે છે. લીવર શરીરમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે જવાબદાર છે જેમ કે ડિટોક્સિફિકેશન, મેટાબોલિઝમ અને પોષણ સંગ્રહ. જો લીવર સ્વસ્થ હશે તો આપણા શરીરની કામગીરી પણ સારી રહેશે. જો કે છેલ્લા કેટલાક સમયથી ફેટી લીવરની સમસ્યા પણ ઝડપથી વધી રહી છે. ખરાબ લાઇફસ્ટાઇલના કારણે બાળકોથી લઈને વડીલો સુધી લીવરને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે. જો કે, અહીં અમે તમને એવા ખોરાક વિશે જણાવીશું જે તમારા લીવરની હેલ્થને વધારવામાં મદદ કરશે.
લીલા પાનવાળા શાકભાજી
લીલા પાંદડાવાળા શાકભાજી લીવરને સ્વસ્થ રાખે છે. પાલક અને કેળ જેવા પાંદડાવાળા શાકભાજીમાં ક્લોરોફિલ ભરપૂર માત્રામાં હોય છે, જે ઝેરી તત્વોને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે અને લીવરના કાર્યને વેગ આપે છે. આ સિવાય લીલા શાકભાજીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે, જેના કારણે આપણું લીવર ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચે છે.
ફિશ
કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે ફેટી ફિશ પણ લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સાલ્મન અને સાર્ડિનમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ઓમેગા 3 ની ગણતરી હેલ્ધી ફેટી એસિડ્સમાં થાય છે. તેઓ લીવરના રોગોને દૂર રાખે છે.
નટ્સ અને સીડ્ઝ
જો તમે હેલ્ધી લીવર ઈચ્છો છો તો તમારા ડાયટમાં નટ્સ અને સીડ્ઝને સામેલ કરો. બદામ, અળસીના બીજ અને અખરોટમાં વિટામિન ઇ સાથે ઓમેગા 3 ફેટી એસિડ્સ જોવા મળે છે. તેઓ લીવર હેલ્થને સપોર્ટ કરે છે.
લસણ
લસણની નાની-નાની કળીઓ પણ લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સલ્ફર કંપાઉન્ડ્સ હોય છે, જે લીવર એન્ઝાઇમને સક્રિય કરે છે. જેના કારણે લીવરમાંથી ટોક્સિન સરળતાથી દૂર થઈ જાય છે.
બ્રોકલી
બ્રોકોલીમાં એવા સંયોજનો હોય છે જે શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. આ શાકભાજીમાં હાજર ગ્લુકોસિનોલેટ્સ હાનિકારક કોમ્પોનેંટ્સને તોડવામાં અને લીવરને હેલ્દી રાખવામાં મદદ કરે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh