બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અમદાવાદ / Father and brother gave their lives for Ayodhya temple, now tears fell on sister's invitation, said that day is not forgotten even today
Vishal Khamar
Last Updated: 03:33 PM, 6 January 2024
૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે. જેનું આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. રામ મંદિર માટેના વર્ષો લાંબા સંઘર્ષમાં લોકો બલિદાન આપ્યું છે. ત્યારે આવો મળીએ સોની પરિવારને જેમણે પોતાના પિતા અને ભાઈ ગુમાવ્યા છે. ત્યારે કેવો છે, સોની પરિવારનું યોગદાન જોઈએ.
રામ મંદિર માટે જીવ આપનાર પરિવારોની કહાની
રામમંદિરમાટેનો નિર્માણ માટે ૫૦૦ વર્ષ જુનો સઘર્ષ પૂર્ણ થયો અને હવે ૨૨ જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ નિજ મંદિરમાં બિરાજશે..પરંતુ રામ મંદિરમાં માટે ચાલેલા લાંબા સંઘર્ષ માં અનેક લોકો બલિદાન આપ્યું છે. આવું જ બલિદાન સોની પરિવારના સદસ્ય છે, આ પરિવાર મોભી એવા મનસુખભાઈ સોની અને તેમનો પુત્ર જેસલભાઈ સોનીનું છે. મનસુખભાઈ સોની અમરાઈવાડી વિસ્તારના વિશ્વ હિંદુ પરિષદના સ્વયમ સેવક હતા.
સંઘર્ષમય જીવન જીવી રામમંદિરનું સપનું કર્યું સાકાર
વર્ષો સેવા કરતા મનસુખભાઈ ૧૯૯૦ અને ૧૯૯૨ની કાર સેવા બાદ અયોધ્યમાં રામ મંદિરના ખાતે આયોજિત યજ્ઞ ૨૦૦૨માં રામયજ્ઞમાં આહુતિ માટે ગયા હતા. આ યજ્ઞમાં સેંકડો લોકો જોડાયા હતા.આહુતિ આપીને પરત આવતા ૨૦૦૨માં ગોધરામાં હિંદુ કાર્યકરોને લઇને જતી એક ટ્રેનમાં આગ લગાવી હતી. જેમાં 58 લોકોનાં મોત નીપજ્યાં જેમાં મનસુખભાઈ સોની અને તેમનો પુત્ર જેસલ ભાઈ સોની નું અવસાન થયું હતું. આ બન્ને મોભીનું અવસાન બાદ નેહાબેન અને તેમની માતા માથે જાણે આભ ફાટી ગયું હોય તેવી સ્થતિ બની.
અમદાવાદના નેહાબેને ગુમાવ્યા પિતા અને ભાઇ
તેમના ભાઈ જેસલ ભાઈની છ માસ ની દીકરી પણ એ પણ પિતાની છત્ર છાયા ગુમાવી દીધી. આમ સોની પરિવાર માથે જાણે કોઈ મોભી જ હોય તેવું હાલત બની ત્યાર બાદ સોની પરિવારના નેહાબેન માતા પણ પાંચ વર્ષમાં અવસાન પામ્યા ત્યારે બાદ સંઘર્ષમય જીવન જીવી રહ્યા છે..આજે પણ આ નેહાબેન રામ મંદિર નિર્માણ ખુશી અને ગર્વ છે, પરતું રામ નામ સાંભળતા સાથે આંખમાંથી આંસુ સરી પડે છે..એ દિવસ ભૂલી શકતા નથી.
રામયજ્ઞ આહુતિ આપી પરત આવતા સમયે ગુમાવ્યો જીવ
આ ઘટના બાદ જાણે અમારા પરિવારનું કોઈ મોભી રહ્યું નથી. આ ઘટના વર્ષો સુધી ભૂલી નાં શક્યતા એક સમય એવો પણ આપ્યો કે જે ઘરમાં રહેતા હતા,તે ઘર પણ વહેલી દેવાની નોબત આવી છે. નેહાબેનના ભાઈ ૨૪ વર્ષે થયેલા અવશાન બાદ તેમના ભાભીને બીજા લગ્ન કરી દીધા. તેમના માતા હાર્ટ ના દર્દી થયા તેમના સાચવવાનો પડકાર હતો. હાલ દુઃખની વાત અને બલિદાન અમર થઇ ગયું રામ મંદિરના નિર્માણ થકી તેમ કહેતા આંસુ રોકી શકતા નથી. તેવી સ્થતિ નેહા બેનની છે.
પરિવાર ગુમાવ્યાના દુખ સાથે રામમંદિર નિર્માણનો ગર્વ
૨૦૦૨માં રામ યજ્ઞમાં મોટું બલીદાન આજે પણ અનેક પરિવાર સંઘર્ષ કરવાની નોબત આવી છે. તે સમયનો સંઘર્ષ આજે પણ ભૂલી શકાય તેમ નથી. નેહાબેન સોનીના પતિ નું કહેવું છે કે અયોધ્યામાં આયોજિત કાર્યક્રમમાં બીપીનભાઈ કહે છે કે કયારેક કોઈની નાની મોટું નુકશાન થાય તો ભૂલી શકાય નહી તો અયોધ્યામાં આયોજિત યજ્ઞમાં મારા સસરા જેસલભાઈ અને મારા મનસુખભાઈ સાળા હતા. જે વિશ્વ હિંદુ પરિષદ માટે વર્ષો સેવા આપી અને યુગમાં ગયા બાદ તે પરત આવ્યા નથી આ મોટું દુઃખ વિસરી નાં શકાય તેવું છે, પરંતુ રામ કાજ માટે આપેલા બલિદાન ગર્વ અનુભવ કરી રહ્યા છે.
આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરીને અયોધ્યા જવાની તૈયારી પણ કરી રહ્યા
સોની પરીવાર માથે ઘરના મોભી જ રહ્યા નહીં તેવી સ્થતિ બની અને જાણે આભ તૂટી પડ્યો હતો. પરિવારને બલીદાન આજે પણ રામ માટે જીવન જીવ્યા હોવાનું કહી રહ્યા છે. રામ મંદિરના આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરીને અયોધ્યા જવાની તૈયારી પણ કરી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir