બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Even after invitation in Ayodhya, you will not get entry to Ram temple, know why

અયોધ્યા રામ મંદિર / અયોધ્યા જતા પહેલાં આ જાણી લેજો, નહીં તો આમંત્રણ બાદ પણ નહીં મળે રામ મંદિરમાં એન્ટ્રી, જાણો કારણ

Priyakant

Last Updated: 03:01 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે આપી છે કે, આ પાસમાં મુલાકાતી વિશેની માહિતી હશે, તે તપાસ્યા પછી જ જે તે વ્યક્તિ પ્રવેશ કરી શકશે

  • અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 
  • અયોધ્યાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક ખાસ પાસ 
  • એન્ટ્રી કાર્ડ દર્શાવ્યા વિના કાર્યક્રમમાં કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં

Ayodhya Ram Mandir : અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. જેને લઈને સર્વત્ર ઉજવણીનો માહોલ છે. જોકે આ ઉત્સવ દરમિયાન અયોધ્યાની સુરક્ષા પણ એક મોટો મુદ્દો છે. આવા માહોલમાં અયોધ્યાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક ખાસ પાસ બનાવવામાં આવી રહ્યો છે. એન્ટ્રી કાર્ડ દર્શાવ્યા વિના કાર્યક્રમમાં કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ માહિતી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે આપી છે. આ પાસમાં મુલાકાતી વિશેની માહિતી હશે, તે તપાસ્યા પછી જ જે તે વ્યક્તિ પ્રવેશ કરી શકશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા ટ્વિટર પર કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં આમંત્રિત મહાનુભાવો માટેની માહિતી. આગળ લખ્યું છે કે 'ભગવાન શ્રી રામલલા સરકારના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં પ્રવેશ ફક્ત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા જાહેર કરાયેલ એન્ટ્રી કાર્ડ દ્વારા જ શક્ય છે. ફક્ત આમંત્રણ પત્ર મુલાકાતીઓને પ્રવેશ સુનિશ્ચિત કરશે નહીં. એન્ટ્રી ગેટ પરના QR કોડ સાથે મેચ કર્યા પછી જ પરિસરમાં પ્રવેશ શક્ય બનશે. આ સાથે એક્સ પરની પોસ્ટમાં એન્ટ્રી કાર્ડનું ફોર્મેટ પણ સામેલ કરવામાં આવ્યું છે.

વાંચો વધુ: અયોધ્યા જવાનો પ્લાનિંગ કરતા હોવ તો પહેલાં આટલું જાણી લેજો, નહીં તો અધૂરા ગણાશે રામલલાના દર્શન! જાણો રહસ્ય

જાણો કેવું હશે રામ મંદિરનું એન્ટ્રી કાર્ડ?
મુલાકાતી વિશે ઘણી માહિતીનો ઉલ્લેખ એન્ટ્રી કાર્ડ ફોર્મેટમાં કરવામાં આવશે. આ સાથે એક QR કોડ પણ હશે જેની સાથે મુલાકાતીઓની માહિતી મેળ ખાશે. તેના પર રામ મંદિર આવનાર વ્યક્તિનું નામ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ, કેટેગરી અને બ્લોક પણ લખવામાં આવશે. રામ મંદિરમાં આવનાર વ્યક્તિ માટે જાહેર કરનારની સહી ફરજિયાત રહેશે. તેના પર એક ફોટો પણ મુકવામાં આવશે, જેના દ્વારા વ્યક્તિની ઓળખ કરી શકાશે. આ એન્ટ્રી પાસ પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પણ લખવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ