બ્રેકિંગ ન્યુઝ
VTV / Elevated levels of triglycerides are also associated with the greatest risk for heart attack.
Last Updated: 11:49 PM, 13 November 2023
ADVERTISEMENT
માણસના શરીરમાં ઘણા પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જેનું પ્રમાણ વધતા જ તે જીવનનું દુશ્મન પણ બની જાય છે. તેમાં પણ હદય માટે કોલેસ્ટ્રોલ સૌથી ખરાબ માનવામાં આવે છે. તે જ રીતે ટ્રાઈગ્લિસરાઈડ્સને પણ માનવ શરીર માટે સૌથી ઘાતક ગણવામાં આવે છે. ટ્રાઈગ્લિસરાઈડ્સનું વધતું પ્રમાણ પણ હાર્ટ એટેક માટે સૌથી મોટા જોખમ સમાન છે. જો તે ખરાબ કોલેસ્ટ્રોલની સાથે વધી જાય તો મામલો વધુ ખતરનાક બની જાય છે. લોહીમાં ટ્રાઇગ્લિસરાઈડ્સની વધુ માત્રા ધમનીઓ સખત થઈ શકે છે. પરિણામે આર્ટીયોસ્ક્લેરોસિસ થવાનું કારણ બને છે. ધમનીઓ સખત અને પાતળી થતા ફાટવાનો ડર અને લોહી ગંઠાઈ જવાના જોખમ વચ્ચે હાર્ટ એટેકનો ખતરો વધે છે.

ADVERTISEMENT
ટ્રાઇગ્લાઇસેરાઇડ્સની સામાન્ય 150 મિલિગ્રામ પ્રતિ ડેસિલિટર અથવા 1.7 મિલિમોલ્સ પ્રતિ લિટર હોવી જોઈએ. જે વધે તો શરીર સામે અનેક જોખમ ઉભા થાય છે.
બીનઆરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન અટકાવો
હાર્ટ એટેકના ખતરા સામે બિનઆરોગ્યપ્રદ વસ્તુઓથી દૂર રહેવું પડશે. પ્રોસેસ્ડ ફૂડ, ઠંડા પીણાં, શરબત, પ્રાણી ઉત્પાદનો ધરાવતી વસ્તુઓ, વધુ પડતી તળેલી વસ્તુઓ અને વધુ પડતી મીઠી વસ્તુઓથી દુર રહેવું જોઈએ.
ADVERTISEMENT

વજન ઘટાડવું
શરીરમાં વધારાની કેલરીના સંચય પછી, જ્યારે તે યોગ્ય રીતે ખર્ચવામાં આવતી નથી, ત્યારે મોટાપો માથું ઊંચકતો હોય છે. પહેલેથી જ સંચિત કેલરી ટ્રાઇગ્લિસરાઇડ્સમાં વધારો કરશે. તેથી, વજન ઘટાડીને, ટ્રિગ્લાઇસેરાઇડ્સ પણ ઘટાડવાનું શરૂ કરશે.
ADVERTISEMENT
સિગારેટ અને આલ્કોહોલથી બચવું
જ્યારે શરીરમાં વધારાનું કોલેસ્ટ્રોલ જમા હોય ત્યારે સિગારેટ અને આલ્કોહોલનું સેવન પણ જીવલેણ બની શકે છે. આલ્કોહોલમાં ઉચ્ચ કેલરી ખાંડ હોય છે અને તેના સેવનથી તે કેલેરીમાં પરિવર્તન કરે છે. પરિણામે એટેકનું જોખમ વધે છે.
ADVERTISEMENT
નિયમિત વ્યાયામ
જો ટ્રાઈગ્લિસરાઈડ્સ કે કોલેસ્ટ્રોલના વધતા પ્રમાણ સામે નિયમિત કસરત એક જ મહત્વનો રસ્તો છે. દરરોજ 30 મિનિટથી 45 મિનિટની શારીરિક પ્રવૃત્તિ ટ્રાઇગ્લિસરાઈડ્સ અથવા કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ADVERTISEMENT
સ્વસ્થ આહાર
ખતરાથી બચવા સ્વસ્થ આહાર લેવો ખૂબ જ જરૂરી છે. તંદુરસ્ત આહાર માટે, દરરોજ લીલા પાંદડાવાળા મોસમી શાકભાજી, તાજા ફળો અને આખા અનાજનું સેવન કરો. વધુ સારો આહાર એ વધુ સારું તંદુરસ્ત આયુષ્ય આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.