બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Edible oil prices: Edible oil to be cheaper, government takes big decision on refined, soybean and sunflower oil
Pravin Joshi
Last Updated: 07:50 PM, 15 June 2023
સામાન્ય માણસ માટે સારા સમાચાર છે. સરકારે રિફાઇન્ડ સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલ પરની આયાત ડ્યૂટી 17.5 ટકાથી ઘટાડીને 12.5 ટકા કરી છે. નાણા મંત્રાલય દ્વારા ગુરુવારે જારી કરાયેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું ઘરેલુ ઉપલબ્ધતા વધારવા અને કિંમતોને નિયંત્રિત કરવા માટે લેવામાં આવ્યું છે. ભારત સામાન્ય રીતે રિફાઈન્ડને બદલે 'ક્રૂડ' સોયાબીન અને સૂર્યમુખી તેલની આયાત કરે છે. આમ છતાં સરકારે રિફાઈન્ડ સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પરની આયાત જકાત ઘટાડી દીધી છે. આ ઘટાડા સાથે રિફાઈન્ડ ખાદ્ય તેલ પર અસરકારક ડ્યૂટી વધીને 13.7 ટકા થઈ ગઈ છે. તેમાં સામાજિક કલ્યાણ સેસ પણ સામેલ છે. તમામ મોટા કાચા ખાદ્ય તેલ પર અસરકારક ડ્યુટી 5.5 ટકા છે.
માર્કેટ સેન્ટિમેન્ટ પર કામચલાઉ અસર: SEA
સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (SEA)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાએ જણાવ્યું હતું કે, આ પગલાથી બજારના સેન્ટિમેન્ટ પર થોડી અસ્થાયી અસર પડી શકે છે, પરંતુ તેનાથી આયાતમાં વધારો થશે નહીં. મહેતાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સરકાર ખાદ્ય તેલના ભાવને નિયંત્રણમાં રાખવા માંગે છે. ક્રૂડ અને રિફાઈન્ડ સોયાબીન અને સૂર્યમુખી તેલ વચ્ચે ઓછી ડ્યુટી તફાવત હોવા છતાં રિફાઈન્ડ સોયાબીન અને સૂર્યમુખી તેલની આયાત આર્થિક રીતે પોસાય તેવી નથી. આ પગલાથી બજારના સેન્ટિમેન્ટ પર કામચલાઉ અસર પડશે.
હવે રિફાઇન્ડ સોયાબીન અને સૂર્યમુખી તેલની આયાત બંધ
હાલમાં રિફાઈન્ડ સોયાબીન અને સનફ્લાવર ઓઈલની કોઈ આયાત નથી. SEA અનુસાર કેરળમાં ચોમાસાની શરૂઆત થવામાં એક સપ્તાહનો વિલંબ થવાને કારણે વાવણીમાં વિલંબ થયો છે. મહેતાએ કહ્યું હવામાન વિભાગે ચોમાસું લગભગ સામાન્ય રહેવાની આગાહી કરી છે. જો કે, અલ નીનોને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો નથી અને તે સામાન્ય ચોમાસાની સંભાવનાઓને આંચકો તરફ દોરી શકે છે, જે ખરીફ પાક અને આગામી તેલ વર્ષ 2023-24 માટે વનસ્પતિ તેલની સ્થાનિક ઉપલબ્ધતાને અસર કરશે.
ભારત તેની ખાદ્યતેલની 60 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે
ભારત ખાદ્ય તેલમાં તેની માંગ-પુરવઠાના તફાવતને પહોંચી વળવા આયાત પર નિર્ભર છે. ભારત તેની ખાદ્યતેલની 60 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh