બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / DySP visits Morbi in mysterious death case of Junagadh police constable Brijesh Lavadia
Dinesh
Last Updated: 06:49 PM, 15 August 2023
જૂનાગઢના પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશ લાવડિયાના રહસ્યમય મોત કેસમાં મૃતકના પરિવારની પોરબંદરના DySP નીલમ ગોસ્વામીએ મોરબી ખાતે મુલાકાત લીધી છે. જેમાં DySP પરિવારના નિવેદન લીધા છે. અત્રે જણાવીએ કે, DySP ખૂશ્બૂ કાપડીયા તેમજ PSI પ્રવીણ ખાચર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે
DySP નીલમ ગોસ્વામીએ શું કહ્યું ?
DySP નીલમ ગોસ્વામીએ જણાવ્યું કે, આ બનાવ ત્રણ મહિના જૂનો છે જેને લઈ એવિડન્સ ક્લેકટ કરવા માટે તેમજ બનાવની સત્ય હકિકત જણાવા માટે પીટીસી જૂનાગઢથી લઈ મૃતકના પરિજનો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે, જે બાબતની તપાસને લઈ ફરિયાદી રિતેશભાઈના નિવેદન માટે તેમજ મોરબીને લગતા જે કોઈ સાયદો છે તેને લઈ અમે મોરબી આવેલા છીએ. તેમણે કહ્યું કે, ગુના જૂનાગઢમાં થયેલો છે તેમજ તપાસ પોરબંદરથી થઈ રહી છે તેમજ ફરિયાદી મોરબીના છે. જેને લઈ મૃતકના પરિવારજનો હેરાન ન થાય તે માટે મોરબી આવી નિવેદનો લેવામાં આવી રહ્યાં છે.
રિતેશભાઈનું નિવેદન
ફરિયાદી રિતેશભાઈએ જણાવ્યું કે, આ ઘટનામાં જે કોઈ સંકળાયેલા છે તેમને કડકમાં કડક સજા થાય તેવી અમારી માંગ છે. અમે જેમની વિરૂદ્ધ ફરિયાદ કરી છે તેમની ધરપકડ કરે તેવી પણ અમારી માંગ છે.
PSI ખાચર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી
જે સમગ્ર મામલે PSI ખાચર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, તાજેતરમા મૃતક કોન્સ્ટેબલના પુત્રએ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. હાઈકોર્ટની ફટકાર બાદ ફરિયાદ નોંધાઈ છે જેને લઈ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. જૂનાગઢ રેન્જ IG દ્વારા સમગ્ર તપાસ જિલ્લા બહારના પોલીસ અધિકારીને સોંપવામાં આવી હતી. રેન્જ આઈજી દ્વારા પોરબંદરના DySP નિલમ ગૌસ્વામીને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી છે.
બ્રિજેશ લાવડિયાએ કર્યો હતો આપઘાત
જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ કોલેજની વાનના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા બ્રિજેશ લાવડિયાનો મૃતદેહ ગત માર્ચ મહિનામાં વંથલીના શાહપુર ગામ પાસા ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. એ સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. બ્રિજેશ લાવડિયાના શરીર પર ઈજાના નિશાન હોવાથી પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી. જોકે, પોલીસે બ્રિજેશ લાવડિયાએ 23 માર્ચના રોજ આત્મહત્યા કરી હોવાનું જણાવી પોલીસે કેસ ફાઈલ બંધ કરી દીધી હતી. પરંતુ સાચું કારણ શું છે તે જાણવાની તસદી લીધી નહોતી.
દીકરાએ ન્યાય માટે ખખડાવ્યા હાઇકોર્ટના દરવાજા
જે બાદ મૃતકના પુત્ર રિતેશ લાવડિયાએ ન્યાય માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. રિતેશ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, 19-20 માર્ચની રાત્રે બ્રિજેશ લાવડિયાએ પોલીસ ટ્રેનિંગ કોલેજમાં એક મહિલા તાલીમાર્થીને કથિત રીતે તેના મોબાઈલમાં પોર્ન જોતી પકડી હતી અને ઠપકો આપ્યો હતો. જે બાદ બ્રિજેશ લાવડિયાએ આ અંગે ઉપલા અધિકારીને ફરિયાદ કરવા જણાવ્યું હતું. બ્રિજશ લાવડિયા ફરિયાદ કરે તે પહેલા જ મહિલા તાલીમાર્થીએ DySP ખુશ્બુ કાપડિયા પાસે પહોંચી ગઈ હતી અને બ્રિજેશ લાવડિયા સામે ખોટા આક્ષેપો લગાવ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir