બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 10:45 AM, 1 September 2023
Asia Cup 2023: ભારતનો વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ ઈજાના કારણે એશિયા કપ 2023ના ગ્રુપ સ્ટેજની મેચોમાં ભાગ લેશે નહીં. જેમાં 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મેચનો સમાવેશ થાય છે. ભારત ગ્રુપ સ્ટેજમાં બે મેચ રમશે. પ્રથમ મેચ પાકિસ્તાન સામે અને બીજી મેચ નેપાળ સામે રમાશે.
ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે મંગળવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કેએલ રાહુલ NCA (નેશનલ ક્રિકેટ એકેડમી) સાથે બેંગલુરુમાં રહેશે અને ગ્રુપ સ્ટેજ સામે નહીં રમે. એશિયા કપ સુપર-4 સ્ટેજ પહેલા 4 સપ્ટેમ્બરે ટીમમાં પરત ફરતા પહેલા તેનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે. એશિયા કપ માટે જાહેર કરાયેલી 17 સભ્યોની ટીમમાં રાહુલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
દ્રવિડએ કહ્યું- રાહુલ સારી પ્રોગ્રેસ કરે છે
દ્રવિડે કહ્યું કે, તેણે છેલ્લા એક સપ્તાહથી NCAમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. રાહુલમાં પ્રગતિ દેખાઈ રહી છે. અમે રાહુલને સંપૂર્ણ ફિટ થવા માટે વધુ સમય આપવા માંગીએ છીએ. રાહુલ એશિયા કપમાં ગ્રુપ સ્ટેજની મેચો માટે બહાર રહેશે. તે એનસીએમાં થોડા દિવસો જ વિતાવશે. અમે સુપર-4 સ્ટેજ પહેલા 4 સપ્ટેમ્બરે ફરી રાહુલનું મૂલ્યાંકન કરીશું. મને ખાતરી છે કે તે પુનરાગમન કરશે. હાલ રાહુલ ટીમ સાથે પ્રવાસ નહીં કરે.
મિડિલ ઓર્ડરમાં રાહુલ, પંત અને શ્રેયસ શરુથી તમારી પહેલી પસંદ
દ્રવિડે આગળ કહ્યું કે, એવું નથી, અમે અત્યારે નંબર 4 અને નંબર 5 શોધી રહ્યા છીએ. છેલ્લા 18 મહિનાથી અમારા માટે નંબર 4 અને નંબર 5 નક્કી કરવામાં આવ્યા હતા. કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને રિષભ પંતને આ પ્લાનમાં સામેલ કરવામાં આવ્યા હતા. જોકે, ત્રણેય ખેલાડીઓ 2 મહિનામાં જ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તમામને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારી વાત એ છે કે અમારી પાસે અત્યારે 3 માંથી 2 ખેલાડીઓ ઉપલબ્ધ છે.
રાહુલ આટલા મહત્વનો કેમ છે?
રાહુલ વિકેટકીપિંગ કરે છે અને તે કોઈપણ પોઝિશન પર બેટિંગ કરવા સક્ષમ બેટ્સમેન છે. તેણે લાંબા સમયથી ટીમ માટે ઓપનિંગ કર્યું છે, પરંતુ હવે પસંદગીકારો તેને નંબર-5 પર ખવડાવવા માંગે છે અને તે કોઈપણ સ્થિતિમાં રમવાની ક્ષમતા રાખે છે.
એશિયા કપમાં ભારતની પહેલી મેચ પાકિસ્તાનથી
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા 30મી ઓગસ્ટે બેંગલુરુથી કોલંબો જવા રવાના થઈ શકે છે. એશિયા કપમાં ભારતની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પલ્લેકેલેમાં પાકિસ્તાન સામે રમાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh