બ્રેકિંગ ન્યુઝ
આ વખતે ઘણા કેન્દ્રીય મંત્રીઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે નાણા મંત્રી નિર્મલા સીતારામણે પણ લોકસભા ચૂંટણીની ટિકિટ ઓફર કરાઈ હતી પરંતુ હવે તેમણે ખુલાસો કર્યો છે કે તેઓ શા માટે લોકસભા ચૂંટણી નથી લડી રહ્યાં. નિર્મલા સીતારામણે કહ્યું કે મારી પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે પુરતું ફંડ નથી તેથી તેમણે ભાજપની ઓફર નકારી કાઢી હતી.
ADVERTISEMENT
Nirmala Sitharaman’s husband at home after saying ‘Electoral Bond is World’s biggest Scam’.
— St . Sinner. (@retheeshraj10) March 27, 2024
Le Nirmala Sitharaman: pic.twitter.com/axeSf8F2o7
ADVERTISEMENT
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ટિકિટની ઓફર કરી હતી
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો પરંતુ મેં ના પાડી હતી. સીતારામણે કહ્યું કે એક અઠવાડિયું કે દસ દિવસ વિચાર્યા પછી, હું ફરી કહેવા આવી કે "કદાચ નહીં". મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. મને પણ એક સમસ્યા છે, પછી ભલે તે આંધ્રપ્રદેશ હોય કે તમિલનાડુ. હું ખૂબ જ આભારી છું કે તેઓએ મારી દલીલ સ્વીકારી... તેથી હું ચૂંટણી લડી રહી નથી.
દેશના નાણા મંત્રી પાસે ચૂંટણી લડવા કેમ ફંડ નથી?
નિર્મલા સીતારામણને જ્યારે પૂછવામાં આવ્યું કે દેશના નાણામંત્રી પાસે ચૂંટણી લડવા માટે પૂરતું ભંડોળ કેમ નથી, ત્યારે તેમણે કહ્યું કે ભારતના કોન્સોલિડેટેડ ફંડ તેમની માલિકીનું નથી. મારો પગાર, મારી કમાણી અને મારી બચત મારી છે, ભારતના કોન્સોલિડેટેડ ફંડની નહીં.
ADVERTISEMENT
I do not have the kind of #money needed to contest #LokSabhaElections: #NirmalaSitharamanhttps://t.co/S0q3YDInxU
— Economic Times (@EconomicTimes) March 27, 2024
ADVERTISEMENT
ભાજપે ઘણા કેન્દ્રીય મંત્રીઓને લોકસભાના રણમાં ઉતાર્યાં
ભાજપે 19 એપ્રિલથી શરૂ થઈ રહેલી લોકસભા ચૂંટણીમાં રાજ્યસભાના કેટલાક વર્તમાન સભ્યોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, રાજીવ ચંદ્રશેખર, મનસુખ માંડવિયા, અને જ્યોતિરાદિત્ય સિંધિયાનો સમાવેશ થાય છે. નિર્મલા સીતારામણને પણ ટિકિટની ઓફર થઈ હતી પરંતુ હવે તેમના કહેવા પ્રમાણે પૈસાની તંગીને કારણે તેમણે આ ઓફર ફગાવી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.